SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપ્રકારી પૂજા ઉપર આઠ દષ્ટાંત યુક્ત શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર પૂર્વપીઠિકા સર્વ દેવ, અસુર, કિનર, વિદ્યાધર અને નરેદ્રોએ જેમના ચરણમાં સ્તુતિ કરેલી છે અને જેમનું સુવર્ણના જેવું સુશોભિત શરીર છે એવા શ્રી મહાવીર પ્રભુને પ્રણામ કરું છું. કમળના આસન ઉપર બેઠેલી, કમળના જેવા મુખવાળી, કમળના ગર્ભ જેવા વર્ણવાળી અને જગતના જનોને સંતોષ આપનારી શ્રીજિનવાણી (સરસ્વતી)ને હું ભક્તિથી નમસ્કાર કરું છું. દોષને અને ગુણને ગ્રહણ કરનારા દુર્જનો અને સજજનોને વિવિધ પ્રકારની પૂજાના ફળને બતાવનારું શ્રીવિજયચંદ્રકેવળીનું ચરિત્ર હું કહું છું તે સાંભળો. ભરતક્ષેત્રના મધ્યખંડમાં રત્નપુર નામે એક નગર હતું. તેમાં રિપુમર્દન નામે પ્રખ્યાત રાજા હતો. તેને રૂપમાં રતિ જેવી અને કમળના જેવા નેત્રવાળી અનંગરતિ નામે રાણી હતી. તેની સાથે વિષયસુખ ભોગવતાં તેમને વિજયચંદ્ર નામે એક પુત્ર થયો. તે પુત્ર ચંદ્રની જેમ સર્વ જનના મનને આનંદ આપનારો અને ઘણા દેશની ભાષા જાણવામાં કુશળ થયો. વિજયચંદ્રકુમારને બે રાજપુત્રી સાથે પાણિગ્રહણ કરાવ્યું. તેમાં પહેલીનું નામ મદનસુંદરી હતું અને બીજીનું નામ કમલશ્રી હતું. તેમનાથી તેને કુરચંદ્ર અને હરિચંદ્ર નામે બે પુત્ર થયા. એક વખત કોઈ સૂરિ વિહાર કરતાં કરતાં ત્યાં આવી ચડ્યા. તેમને Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy