SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ આવે તો પ્રાકૃતભાષાનો અનભિજ્ઞ વર્ગ પણ આ ગ્રંથ વાંચી શકે અને આ ગ્રંથમાં અષ્ટપ્રકારી પૂજા ઉપર અને છેલ્લે પરિગ્રહ ઉપર ખૂબ સુંદર – રોચક, શુભ-અશુભ ફળ વિપાકોના તાદશ ચિતારને ખડા કરતાં કથાનકો આલેખવામાં આવ્યા છે, એ કથાઓના વાચનથી વાચકવર્ગ પરમાત્મા દેવાધિદેવની અષ્ટપ્રકારી પૂજા કરવા દ્વારા ભાવભક્તિમાં એકાકાર બની વીતરાગભાવથી ઉપરંજિત બની શકે. પરમાત્મા દેવાધિદેવ અરિહંત ભગવંતની ગંધ, ધૂપ, અક્ષત, પુષ્પ, દીપ, નૈવૈદ્ય, ફળ અને જળરૂપ એકેક પ્રકારી પૂજાથી પણ તે તે મહાનુભાવો પોતાના શુભાશુભકર્મના ફળના વિપાકોને ગુરુભગવંતો પાસેથી જાણીને, જાતિસ્મરણ જ્ઞાન દ્વારા તેની પ્રતીતિ કરીને ભાવથી ઉદ્વિગ્ન બની વૈરાગ્યને પામીને સર્વવિરતિ કે દેશવિરતિનો સ્વીકાર કરવા દ્વારા ભવાંતરમાં દેવ તથા ઉત્તમ મનુષ્યના સુખો ભોગવીને નિકટના ભાવોમાં વિઘ્ન રહિત અને નિત્ય સુખવાળા શાશ્વત સ્થાનને પામ્યા છે. પ્રાંતે આ “વિજયચંદ્રકેવલી ચરિત્રના વાચન દ્વારા શુભ-અશુભ કર્મના સારા-નરસા ફળ વિપાકોને જાણીને, પરમાત્મભક્તિમાં લયલીન બનીને, પરમાત્માના ગુણોથી ચિત્તને ઉપરંજિત કરીને વીતરાગભાવથી ભાવિત બની આપણે સૌ કોઈ વીતરાગતુલ્ય બની શાશ્વતસુખના ભોક્તા બનીએ એ જ અભ્યર્થના....! આસો સુદ-૧૦ સૂરિ રામચંદ્ર સામ્રાજ્યવર્તી વિ.સં. ૨૦૬૪ તથા પૂ.સા. રોહિતાશ્રી મ.ના અમદાવાદ, શિષ્યાણ સાધ્વીજી ચંદનબાલાશ્રી Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy