SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ કરુણાભીની આંખો રડી ઉઠે. મને કલ્યાણદ્રષ્ટિથી નિહાળી ખૂબ જ વાત્સલ્યભાવથી સાંત્વન આપે. આ દિવસો તો હજી સ્મૃતિ-પટ પરથી ખસતા નથી. એ વખતે મને થતું કે, અપરાધ મારો છતાં દુઃખ એમને ? ત્યાં તો થોડી જ પળોમાં ક્ષમા-શાંતિની શરણાઇ બજી રહે ! શીતલ ચાંદનીની જેમ એમના. શબ્દે શબ્દે શાતા વળતી, ખરેખર ! કડવું ઔષધ તો પોતાની મા જ પીવડાવે !'' નમસ્કાર મહામંત્ર અને પોતાના પૂજ્ય ગુરુમાતા ઉપરની અથાગ શ્રદ્ધા. આ ગુણથી પૂજ્યશ્રીને વિકટ પ્રસંગોમાં સહાય મળતી હતી. તેઓશ્રીને પૂજ્ય ગુરુમાતા ઉપર અનન્ય શ્રદ્ધા હતી. તેઓશ્રીની તેમની ઉપર અવર્ણનીય કૃપા વર્તતી હતી. શ્રદ્ધા શું નથી ક૨તી ! તે આપણે જોઇએ. એકવાર ગ્રીષ્મૠતુના દિવસો, તે વખતે મને તાવ આવતો હતો. અને એક ગામમાં પ્રસંગોપાત્ત પહોંચવું પડે એમ હતું. આ બાજું તાવનું જોર છતાં વિહાર કર્યો. લગભગ બાર માઇલનો વિહાર હતો. તાવની અશક્તિને કારણે અને પ્રચંડ તાપનાં કારણે તૃષાએ જોર પકડયું. આગળ ચાલી જ ન શકાય ? શું થાય ? પાણીની તપાસ કરી, પણ ક્યાંય મળે નહી. તો ગુરુજી કહે, નવકાર ગણવા માંડ. સૌ સારા વાના થશે. દસ મિનિટ પછી તને ક્યાંકથી પાણી મળી જશે. મેં શ્રદ્ધાથી નવકાર ગણવા માંડ્યા. ચમત્કાર સર્જાયો ! જાણે કોઇની સહાયતા મળી ન હોય, તેમ એકાદ માઇલ ગયા, ત્યાં એક ફેકટરીમાંથી અજાણી વ્યક્તિ બહાર આવી. કહે કે, તમારે શું જોઇએ ? અમે કહ્યું અમારે પાણીની જરૂર છે ! તે ભાઇએ કહ્યું આવો ! અમારે ત્યાં ઘણા પાણીના ઘડા છે, તમારે જોઇએ એટલું લેજો. અમે કહ્યું અમારે આવું કાચું પાણી ન ચાલે. એકદમ ઉકાળેલું હોય તો જ કામમાં આવે ! ત્યારે તે માણસ કહે : પણ તમે આવો તો ખરા ! તમને તેવું પાણી મળી જશે. આગળ ચાલી શકાય તેમ ન હતું. તેથી ફેકટરીમાં ગયા. ત્યાં પેલા માણસે ફેકટ૨ીમાં ગરમ પાણીની વ્યવસ્થા ક૨વા કહ્યું અને ચાલ્યો ગયો. પછી ગુરુ મહારાજ તો માણસને જુએ તો દેખાય નહીં. ખરેખર ! જાણે શ્રદ્ધાનો સાક્ષાત્કાર સર્જાયો. ધન્ય છે પૂજ્યશ્રીનાં એ શ્રદ્ધા ગુણને ! છેલ્લા દસ વર્ષોથી આવા અનેક પ્રસંગો મેં નિહાળ્યા. જિન ભક્તિનાં અનુરાગી એમની પ્રભુભક્તિમાં તન્મયતા અજોડ હતી. તેથી જ જ્યાં દર્શન કરે, ત્યાં કેટલી પ્રતિમા છે ? કોણ ભરાવી છે ? કેટલા વર્ષ પુરાણી છે ? બધું જ જાણી લે. જ્યારે વીતરાગ પરમાત્માની ભાવપૂજામાં મસ્ત બને ત્યારે જાણે સુરે સુરે ગુંજી ઉઠે મીઠો ઝંકાર, શબ્દે શબ્દે ગાજે જાણે કોયલનો ટહુકાર, કંઠની સ્ફુરણાએ અને હૈયાના હેતે ભલભલા આત્માઓના મન આકર્ષી લીધા હતા. તેઓશ્રીએ જ્યાં જ્યાં ચાતુર્માસ કર્યા ત્યાં ત્યાં શાંત પ્રકૃતિ, સરળતા, સહૃદયતા, કોમળતા, પરોપકારીતા, ગંભીરતા વગેરે ગુણોની સુવાસથી આજ પર્યંત ત્યાંના લોકો એમને યાદ કરી રહ્યા છે. વૈયાવચ્ચગુણનાં હિમાયતી કોઇ ગ્લાનને જુએ કે તરત જ પડતું મૂકી સેવા કરવા લાગે. પછી ચાહે મોટા હોય કે નાના હોય, એમને પણ જુઓ, ભગવાનની આજ્ઞાને યાદ કરો. પૂજ્યપાદ આચાર્ય ભગવંતનાં વચનો યાદ કરો. નમ્રતા વિના વિનયગુણ, જાતને ભૂલ્યા વિના વૈયાવચ્ચ ગુણ, સ્વાદને માર્યા વિના તેમજ અંતર્મુખ બન્યા વિના સ્વાધ્યાય ગુણ આવે નહીં ! આ વચનો જીવનમાં ઉતારવા જેવા છે. એમ રોજ શિખામણ આપે. એકવાર મને તાવ આવ્યો. રોજ રાત્રે જ આવે. છતાં પોતે ઉજાગરા વેઠી સતત કાળજી રાખતાં. મને અશાતા ઉદય વર્તતો હતો. છતાં એઓશ્રી મને ખૂબ જ સમાધિ આપતાં. આ ૠણ શી રીતે ચૂકવીશ ? ગુણપુષ્પોની સુવાસનો અનુભવ કરતી હું મારા જીવનને સંયમમાં મસ્ત બનાવી રહી છું. એમણે તો ૨૧ * ૧૨ **** ***
SR No.002496
Book TitleAshtadash Sahasra Shilanga Granth
Original Sutra AuthorN/A
AuthorSaumyajyotishreeji
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages698
LanguageHindi, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy