________________
નિવેદન
આ ‘લક્ષવિલાસ' ગ્રન્થ વ્યાકરણ અને સાહિત્ય-વિષયક છે એ સ્પષ્ટ સમજાય એવું છે, છતાં તેમાં જે મજા છે તે જુદી જ છે. ઉત્સુકતા જન્માવીને—તેમાં જકડી રાખવાનું કાર્યાં ઉખાણા, કાયડા, ફૂટ પ્રશ્નાની જેમ આ ગ્રંથ કરે છે. આ ગ્રન્થમાં શ્રી સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનના કેટલાક સૂત્રોને અનુલક્ષીને ગુપ્તસૂત્રતા ગુથી છે,–ને તે ગુથણીમાં નીચે પ્રમાણે તેવીસ રીતેા અજમાવી છે.
(૧) ૨, ૩, ૫, ૬, ૮, ૧૦, ૧૨, ૧૩, ૧૭, ૧૯, ૨૦, ૨૨,
૨૩, ૨૪, ૨૫, ૨૬, ૩૦, ૩૪, ૩૫, ૩૬, ૩૮, ૪૦, ૪૬, ૪૯, ૫૪, ૫૫, ૫૬, ૮૨, ૯૫, ૯૯, ને ૧૦૩, એ પ્રમાણેના ક્રમાંકવાળા શ્લેાકેામાં જુદા જુદા પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. તેનાં ઉત્તર રૂપે એવા શબ્દો મેળવવાના રહે છે કે જે શબ્દો હૈમસૂત્રમાં યેાજાએલા હેાય, અને એ રીતે હૈમવ્યાકરણનુ સૂત્ર સ્મરણમાં લાવવું અનિવાર્ય ગણાય.
(૨) ૪, ૭૯ અને ૯૬ એ ત્રણ શ્લાકમાં હૈમસૂત્રમાં આવતા અક્ષરામાં પેાતાના તરફથી—અર્થાત્ શ્લાકમાં જણાવ્યા પ્રમાણેના અક્ષરા ઉમેરીને જે તૈયાર થાય તેનાં શબ્દાનું સ્વરૂપ જણાવીને રચના કરી છે.
(૩) ૭, ૧૧, ૧૮, ૨૧, ૨૮, ૩૭, ૪૩, ૪૫, ૪૭, ૭૫, ૭૮, ૮૦, તે ૮૪,–એ અંકવાળા શ્લોકમાં સૂત્રની ગુંથણી અક્ષરશઃ આવી જાય છે. પણ-તેમાંથી સૂત્ર તારવા માટે સૂત્ર સ્મરણમાં હોવુ જરૂરી છે એટલું' નહિ પણ લેાકને અવ્યવસ્થિત બેસારવેા