________________
तृतीयं पद्मम्
પોતાના ગુરુમહારાજની આશાતનાથી ડરતા
એવા તેમણે રડતી આંખે
ગુરુમહારાજની આજ્ઞાથી
પરાણે આચાર્યપદવી લીધી હતી. (૮)
પદ્મવિજયજી મહારાજ તે જ રીતે નિઃસ્પૃહી હતા,
કેમકે તેઓ ક્યારે પણ
કિંમતી વસ્ત્રો પહેરતા નહી. (૯)
ગુરુની ઈચ્છાને અનુસરનારા તેમણે વ્યાખ્યાન આપવાની
જોરદાર શક્તિ હોવા છતા
પોતાની ઈચ્છાથી વ્યાખ્યાન આપ્યુ ન હતું.
(૧૦)
ઓછી જરુરીયાત અને
ઓછા લોકોના પરિચયને
તેઓ નિઃસ્પૃહતા પામવાનો
६२
સૌથી શ્રેષ્ઠ માર્ગ માનતા હતા. (૧૧)