SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ – એક મહાન સાધક – ટાંકણાના માર ખાધા વિના પત્થર પ્રતિમા ન બને. સરાણ પર ચઢ્યા વિના ચપ્પ ધારદાર ન બને. અગ્નિપ્રવેશ કર્યા વિના સુવર્ણ શુદ્ધ ન બને. ધોકાના માર ખાધા વિના વસ્ત્ર સ્વચ્છ ન બને. કપાવાની તૈયારી વિના સોનુ વિંટી ન બને. તેમ, સહન કર્યા વિના આત્મા પરમાત્મા ન બને. પંન્યાસપ્રવર શ્રીપદ્રવિજયજી મહારાજે આ ગણિત આત્મસાત્ કર્યુ હતું. તેથી જ તેઓ કેન્સર જેવા ભયંકર રોગને પણ સમતાપૂર્વક સહન કરી વર્તમાનકાળમાં અશક્ય જેવી લાગતી એક મહાન સાધના કરી ગયા. - સિદ્ધાન્ત મહોદધિ પૂજ્યપાદ પ્રેમસૂરીશ્વરજી મહારાજાના સમાગમથી વૈરાગ્યવાસિત થઈ તેમણે પોતાના વડિલબંધુ સાથે ચારિત્ર અંગીકાર કર્યું. તેઓ વડિલબંધુ ન્યાયવિશારદ પૂજ્યપાદ ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના પ્રથમ શિષ્યરત્ન હતા. તેઓ ૪૮ વર્ષનું નાનું પણ સાધકજીવન જીવી ગયા. તેમણે ૨૬ વર્ષના ચારિત્રપર્યાયમાં સંયમની ઉત્કૃષ્ટ સાધના કરી. સંયમજીવનના ૧૬મા વર્ષે કેન્સર રોગે તેમની ઉપર હુમલો કર્યો. છતાં તેઓ ડગ્યા કે અટક્યા નહીં. કેન્સરના રોગમાં પણ તેમની આરાધના અસ્મલિતપણે આગળ વધતી હતી. સાધક આત્મા કષ્ટને પણ સુખ માને છે. કેમકે એમાં એને કર્મનિર્જરાનો લાભ દેખાય છે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સમાધિશતકમાં કહ્યું છે - વ્યાપારી વ્યાપારમેં સુખ કરી માને દુઃખ, ક્રિયાકષ્ટ સુખમેં ગિને હું વાંછિત મુનિ સુખ’
SR No.002349
Book TitleSamta Mahodadhi Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages396
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy