________________
चतुर्थं पद्मम्
જેમ શાસ્ત્રમાં કહ્યું છે કે,
“જે સ્વાધ્યાય અને સાધના કરે, અને સમતાને ધારણ કરે
તે સાધુ તેમ તે જ શાસ્ત્રોમાં
પરમમુનિઓએ કહ્યું છે કે, જે સહાય કરે
તે પણ સાધુ.” (૪, ૫)
પદ્મવિજયજી મહારાજ પણ
ખરેખર પરાવ્યસની હતા, કેમકે કેન્સરની બિમારીમાં પણ
કોઈક મુનિની તબીયત સારી નથી એવું સાંભળીને તેઓ
પોતાની ઘોર વેદનાને ભૂલીને સહાય કરવા દોડી જતા
અને તેના મનને સ્વસ્થ કરતા. (૬, ૭)