________________
चतुर्थं पद्मम् -
ચોથુ પહ્મા
પરાર્થની સાધના
પરાર્થ કરવો એ
જીવલોકનો સાર છે અને પુરુષાર્થનું લક્ષણ છે
એમ મહર્ષિઓએ શાસ્ત્રમાં કહ્યું છે. (૧)
બીજાને સહાય કરવી
અને શક્તિ પ્રમાણે તન-મન-ધનથી તેમની સેવા કરવી
એને પરાર્થ કહેવાય છે. (૨)
માત્ર સ્વાર્થને જ જોનારો
સાધનાના ક્ષેત્રમાં પણ ક્યારેય સાચી આરાધના
નથી કરી શકતો. (૩)