SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ - રહસ્યોદઘાટન – * ગૂઢામૃતલીલા જન્મદાતા – અમૃતભાઈ જન્મદાત્રી – લીલાબેન જેમના ઉપકારને તો હું કેવી રીતે ભૂલી શકું? મારા જીવનમાં જેમણે સંસ્કારોનું આધાર કર્યું જેને કારણે આજે હું સંયમના પથ પર પ્રગતિ કરી રહ્યો છું. તેમના ઉપકારના ઋણ ચૂકવવા માટેનો અવસર જયારે સાંપડયો છે ત્યારે હું તેને કેવી રીતે જતો કરી શકું? કંઈક અંશે ઉપકારનો બદલો વળે તેના માટે તેમના નામથી જ ગ્રંથનું નામ રાખ્યું છે. અહીં શ્લેષ એ જાણવો કે અમૃતની લીલા અર્થાત્ ક્રીડા જેમ વિબુધો (દેવો) જ કરી શકે છે તેમ ગૂઢ એવા ગ્રંથના પદાર્થ રૂપી અમૃત તેની લીલા વિબુધ (પંડિત) પુરુષો જ કરી શકશે. * उक्तमपि - काव्यशास्त्रविनोदेन कालो गच्छति धीमताम् इति। શશીશીલા જેમના ચારિત્ર્ય જીવનથી હું આકર્ષિત બનેલો છું - વિકટ પરિસ્થિતિઓમાં પણ જેમણે સ્વ આરાધના કયારેય છોડી નથી એવા * સ્વ. શશtપ્રભાશ્રીજી મ.સા. તેમજ જેમનું વાત્સલા મારા ઉપર સતત રહ્યું છે. સેવા અને સમતા જેમણે આત્મસાત્ કરી લીધાં છે. એવા સાધ્વીવર્યા * શીલપૂત્રીજી મ.સા. ના ગુણોના સંસ્મરણ નિમિત્તે ગુર્જર ટીકાનું નામ “શશીશીલા” રાખ્યું છે.
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy