SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ તૈયારીઓ કરી. સહાધ્યાયી મુનિ શ્રી રાજહર્ષ વિ. તથા રાજસુંદર વિ. અને હું એમ ત્રણ વચ્ચે શાસ્ત્રાર્થ શરૂ થયો. પૂર્વપક્ષ – ઉત્તરપક્ષની શ્રેણિઓ ચાલી. - એ દશ્ય દર્શનીય બની ગયું. શાસ્ત્રાર્થની સમાપ્તિ થતાં જ અંતઃકરણમાં ૧ ભાવના પ્રગટે કે પૂર્વાચાર્યાની શૈલીને અનુસરતા-પૂર્વપક્ષ-ઉત્તરપક્ષીય ચર્ચા સભર એક ગ્રન્થનું સર્જન કરવું. પણ મારી આ ઈચ્છા અપૂર્ણ જ જાણે ન રહેવાની હોય તેવી સ્થિતિ સર્જાતી હતી. કેમકે પંડિતજી અભ્યાસ કરાવવા માટે ચાતુર્માસમાં જ આવી શક્તાં હતાં. તેમાં પણ મારે પ્રથમ ચાતુ. પછી તૃતીય ચાતુ. માં પંડિતજીનો સંયોગ થયો, ત્યારે તો ઈચ્છા ઓછી થઈ ગઈ હતી. ઓળી અમદાવાદ કરાવવા જવાનું થયું અને ત્યારે પંડિતવર્ય મનીષભાઈનો સંપર્ક થયો. તેમની ભણાવવાની શૈલી અદ્દભૂત હતી તેમણે પુનઃ ભાવના જાગૃત કરી. ત્યારબાદ પુનઃ અભ્યાસ ચાલુ થયો. ચાલુવર્ષનું ચાતુર્માસ સમેતશિખરમાં થયું. એક પાઠ પ્રસ્તુત ગ્રંથ ઉપર ગોઠવ્યો, પાઠની પૂર્ણાહૂતિ બાદ તે પદાર્યોને હું રફમાં તૈયાર કરતો ગયો. વિચાર આવ્યો કે આ અણમોલ પદાર્થોને ગ્રન્થસ્ય કરવામાં આવે તો અનેક વિદ્યાર્થીવર્ગને ઉપયોગી બને. પંડિતજીની પણ પ્રેરણા હતી સાથે ગુરુદેવે પણ આશિષ આપતાં કહ્યું : “તું એકવાર સંસ્કૃતમાં તૈયાર કર ગુરુદેવના આ આશિષે જ ગ્રંથની પૂર્ણાહૂતિ કરાવી છે." એ જ આશા આજે સાકાર બની રહી છે.
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy