SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ છે. જ્યારે પ્રતીતિ તો થાય છે જ, આથી તમારે એ સ્વીકારવું પડશે કે વિષયિતા સંબંધથી પણ સ્વરુપતઃ ભાન થઈ શકે અને આના દ્વારા એ સિદ્ધ થઈ જશે કે તમે જે નિયમ આપ્યો હતો તે નિયમમાં કોઈ પ્રમાણ નથી. આથી આ નિયમનો સ્વીકાર કરવામાં નહીં આવે એટલે પૂર્વમાં તમે જે રુપવૃત્તિતા સમાન નહોતા બતાવતાં તે હવે સમાન થઈ જશે કેમકે સ્વ નિરૂપિતાવચ્છેદકતાત્વાવચ્છિન્માવચ્છેદકતા - વહ્નિત્વ નિષ્ઠાવÒદકતા આ વહ્નિત્વ નિષ્ઠાવચ્છેદકતા છે પ્રતિયોગી જે પર્યાપ્તિ સંબંધમાં તેનો અનુયોગી વહ્નિત્વ, અનુયોગિતાવચ્છેદકવહિત્વત્વ નહી બનતાં વહ્નિત્વગતએકત્વ બનશે. કેમકે વિષયિતા સંબંધથી પણ સ્વરુપતઃ ભાન થઈ શકે છે. આમ રુપવૃત્તિ સમાન થશે. રુપવૃત્તિ સમાન યતાં અભાવ લક્ષણ ઘટક બનશે. વિષયિતા સંબંધથી વહિત્વવિશિષ્ટાભાવને ગ્રહણ કરશું એટલે અવ્યાપ્તિ તો આવશે જ. સાધ્યાભાવ – વિષયિતા સંબંધથી વહ્રિત્વ વિશિષ્ટાભાવ, તાધિકરણ – પર્વત બનશે. કેમકે વિષયિતા સંબંધથી વહ્રિત્વ વિશિષ્ટ માત્ર વહિત્વ વશિષ્ટ વિષયક જ્ઞાન જ થશે. પર્વતમાં તો તેનો અભાવ જ મળશે. આમ સાધ્ધાભાવાધિકરણ-પર્વત તનિરુપિત વૃત્તિતા જ ધૂમમાં જશે. ધૂમમાં વૃત્તિત્વાભાવ ન જતાં અવ્યાપ્તિ આવશે. આ અવ્યાપ્તિને દૂર કરવા માટે તમારે સાધ્યતાવચ્છેદક નિષ્ઠાવÒદકતામાં સાધ્યતાવચ્છેદકતાવચ્છેદકસંબંધાવચ્છિન્નસ્વનો નિવેશ કરવો આવશ્યક થઈ પડશે. નિરુત પદનો નિવેશ કરવાથી તમે વિષયિતા સંબંધથી અભાવ નહીં લઈ શકો. કેવલ શુદ્ધ સાધ્યાભાવ જ લેવાશે. જે લેતાં લક્ષણ સમન્વય થઈ જશે. (૬૮)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy