SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રસ્તાવના : શ્રુતજ્ઞાનની ઉપાસના. અનાદિ અનંત આ સંસારમાં ચૌતન્ય સ્વરૂપ આત્મા, શુભાશુભ કર્મના વેગે પરિભ્રમણ કરી રહ્યો છે, એ ભવભ્રમણ આત્માની અનાથ દશાનું દ્યોતક છે. જે આત્મા એ ભવભ્રમણથી મુક્ત થાય તે જ આત્મા પરમશાંતિ પામે છે. એ પરમશાંતિ માટેનું ભવ્ય માગ શ્રી તીર્થંકર પરમાત્માએ બતાવ્યું છે. એ માર્ગના સ્વરૂપ માટે તેમણે દ્વાદશાંગી અર્થથી ત્રિપદી રૂપે પ્રરૂપી છે અને તેમના પટ્ટધર શિષ્યરત્ન શ્રી ગણધરદેએ એ દ્વાદશાંગી સૂત્ર રૂપે ગુંથી છે. એ જિનવચન મુક્તિમાર્ગનું પ્રકાશક છે. જિનવચન રૂ૫ શ્રુતજ્ઞાનની ઉપાસના અત્યંત જરૂરી છે. ભાષાજ્ઞાન સાધન છે. અધ્યાત્મની સિદ્ધિ એ આ વચનની આરાધના છે. એ વચને પ્રાકૃત સંસ્કૃત ભાષામાં ગુંથાયેલાં છે. અને એથી જે કલ્યાણકાંક્ષી આત્મા હોય તેને એ વચને સમજવા આદિની જિજ્ઞાસા જાગે અને તેથી સાધન રૂપ સંસ્કૃત ભાષા આદિનું અધ્યયન કરે. આત્મહિતની ભાવના વિના માત્ર ભાષાનું જ્ઞાન તે અધ્યાત્મ નથી. એથી જ આ ગીર્વાણ ગીર એ ધર્મશાસ્ત્રની ભાષા હોવાથી પ્રાયઃ ધર્મના અથ આત્માઓ એ ભાષાનું અધ્યયન કરે છે. પૂર્વમાં થઈ ગયેલા મહાપુરૂએ આ ભાષા દ્વારા ધર્મશાના રહસ્ય પામીને નવનવાં ધર્મશાસ્ત્રો પણ આલેખ્યાં છે. સંસ્કૃતભાષા બીજી ભાષાઓની માતા ગણાય છે અને એ ભાષા સુદઢ અને અલ્પશબ્દ અને મહાઅર્થની ઘાતક છે. સંસ્કૃત ભાષામાં આર્યધર્મોના મોટા ભાગનાં શા છે. આમ ધર્મશાસ્ત્રના આધારને કારણે સંસ્કૃત ભાષા ભારતમાં ધર્મભાષા તરીકે પ્રાયઃ ગણાય છે.
SR No.002279
Book TitleAnekarth Sangraha Satik Part 01
Original Sutra AuthorHemchandracharya
AuthorMahendrasuri, Jinendravijay
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1972
Total Pages392
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy