SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યોતિર્મુખ ૩૯ ૧૧૬. પરંતુ એવી પણ શીલ–ગુણ–સંપન્ન સ્ત્રીઓ છે જેમને યશ સર્વત્ર વ્યાપ્ત છે. એ મનુષ્ય લેકની દેવતાઓ છે. અને દેવાને માટે વંદન કરવા ગ્ય છે. ૧૧૭. વિષયરૂપી વૃક્ષ દ્વારા પ્રજવલિત થંચેલે કામાગ્નિ ત્રણેય લોકરૂપી અટવીને બાળી નાખે છે, પણ યૌવનરૂપી ઘાસ ઉપર ચાલવામાં કુશળ એવા જે મહાત્માને એ અગ્નિ નથી બાળતો કે નથી વિચલિત કરી શકતો એ ધન્ય છે. ૧૧૮. જે જે રાત્રી વ્યતીત થઈ ગઈ છે તે પાછી નથી આવતી. અધમ કરનારની રાત્રીઓ નિષ્ફળ ચાલી જાય છે. ૧૯-૧૨૦.જેવી રીતે ત્રણ વાણીયાએ દ્રવ્યની અમુક મૂળ રકમ લઈને નીકળી પડ્યા. એમાંથી એકે લાભ મેળવ્યો, બીજે મૂળ રકમ લઈને પાછો ફર્યો, અને ત્રીજો મૂળ રકમને પણ ગુમાવીને પાછો આવ્યો. આ વ્યાપારની ઉપમા છે. બરાબર આ પ્રમાણે ધર્મના સંબધમાં જાણવું–સમજવું જોઈએ. ૧૨૧. આત્મા જ યથાસ્થિત (નિજ સ્વરૂપમાં સ્થિત) આત્માને જાણે છે. એટલા માટે સ્વભાવરૂપ ધર્મ પણ આત્મસાક્ષીરૂપ હોય છે. આ ધર્મનું પાલન (અનુભવ) આત્મા એ વિધિથી કરે છે કે જેથી એ પોતાને માટે સુખદાયક બને. ૧૦ સંયમસૂત્ર ૧રર. આત્મા જ વૈતરણી નદી છે. આત્મા જ ફૂટશાલ્મલી વૃક્ષ છે. આત્મા જ કામદ્દધા ગાય છે અને આત્મા જ નંદનવન છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy