SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ રચાવાદ - ૨૩૭. ૭૩૩. સંસારમાં એવા ઘણું પદાર્થો છે જેનું વર્ણન થઈ શકતું નથી. આવા પદાર્થોને અનંતમો ભાગ જ કહેવા ગ્ય હોય છે. આવા પ્રજ્ઞાપનીય પદાર્થોને અનંતમે ભાગ જ શાસ્ત્રમાં નિબદ્ધ છે. (આવી સ્થિતિમાં, એ કેવી રીતે કહી શકાય કે અમુક શાસ્ત્રમાં લખેલી વાત અથવા અમુક જ્ઞાનીની વાત નિરપેક્ષ સત્ય છે ?) ૭૩૪. એટલા માટે જે પુરુષ કેવળ પોતાના મતની જ પ્રશંસા કરે છે અને બીજાનાં વચનની નિંદા કરે છે અને એ રીતે પોતાનું પાંડિત્ય બતાવે છે એ સંસારમાં મજબૂત રીતે જકડાઈ ગયેલા છે. ૭૩૫. આ સંસારમાં વિવિધ પ્રકારના જીવો છે, વિવિધ પ્રકારનાં કર્મો છે, વિવિધ પ્રકારની લબ્ધિઓ છે; એટલા માટે કઈ સ્વધમી હોય કે પરધમી, કેઈની પણ સાથે વાદવિવાદ કરવો એ ચોગ્ય નથી. ૭૩૬. મિથ્યાદશનના સમૂહરૂપ અમૃતરસ-પ્રદાયી અને અનાયાસ . . જ મુમુક્ષુઓની સમજમાં આવનારા વંદનીય જિનવચનનું ' ' . કલ્યાણ હો ! કર, નિક્ષેપસૂત્ર ૭૩૭.. યુકિતપૂર્વક, ઉપયુકત માર્ગમાં પ્રજનવશ નામ, સ્થાપના, ' : દ્રવ્ય અને ભાવમાં પદાર્થની સ્થાપનાને આગમમાં નિક્ષેપ કહે છે. ૭૩૮. દ્રવ્ય વિવિધ સ્વભાવવાળું છે. એમાંથી જે સ્વભાવ દ્વારા એ ધ્યેય અથવા સેય (ધ્યાન અથવા જ્ઞાન)નો વિષય બને છે એ સ્વભાવને નિમિત્ત બનાવી એક જ દ્રવ્યના આ ચાર ભેદે પાડવામાં આવ્યા છે. ૭૩૯ અને (એટલા માટે) નિક્ષેપ ચાર પ્રકારનો માનવામાં આવ્યો છે—નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. દ્રવ્યની સંજ્ઞાને નામ કહે છે. એના પણ બે ભેદ પ્રસિદ્ધ છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy