SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વ દર્શન ૨૦૯ ૬૫૪. આ લોક બધી તરફથી સૂફમ-બાદર પુગલ-સ્ક ધોથી ખીચે ખીચ ભરેલો છે. આમાંથી કોઈક પુદ્ગલ કર્મ રૂપે પરિણમવા ગ્ય બને છે અને કેઈક એ પ્રમાણે પરિણમવા ગ્ય નથી બનતા. ૬૫૫. કમરૂપે પરિણત થવા યોગ્ય પુદ્ગલ જીવના રાગાદિ (ભાવ)નું નિમિત્ત મેળવી આપોઆપ જ કર્મ ભાવને પામે છે. જીવ પોતે એને (બળપૂર્વક) કર્મના રૂપમાં પરિણત કરતો નથી. ૬િ૫૬. જીવ પોતાના રાગ અથવા ઠેષરૂપી જે ભાવથી સંપૂક્ત બની ઇદ્રિના વિષયોના રૂપમાં આવેલા પદાર્થોને જાણે છે – દેખે છે, તેનાથી તે ઉપરક્ત બને છે અને એ ઉપરાગને કારણે નવીન કર્મો બાંધે છે. ૫૭. તમામ જીવો માટે સંગ્રહ (બદ્ધ) કરવા એગ્ય કર્મ પુદગળે છે દિશાઓમાં તમામ આકાશ પ્રદેશમાં વિદ્યમાન હોય છે. એ તમામ-કર્મ-પુદ્ગલ આત્માના તમામ પ્રદેશોમાં બદ્ધ થાય છે. ૬૫૮. વ્યક્તિ સુખ-દુઃખ રૂ૫ અથવા શુભાશુભ રૂપ કર્મ આચરે ? છે, અને પોતાનાં એ કર્મોની સાથે જ પરભવમાં જાય છે. ૬૫૯. આ પ્રમાણે કમરૂપે પરિણત થયેલ એ પુદ્ગલેનો પિંડ એક દેહથી બીજા દેહમાં– નવીન શરીરરૂપ પરિવર્તનમાં પ્રાપ્ત થતો રહે છે. અર્થાત્ પૂર્વે બાંધેલાં કર્મોના ફળરૂપે નવું શરીર બને છે અને નવું શરીર મેળવી નવીન કર્મો બાંધે છે. આ પ્રમાણે જીવ નિરંતર વિવિધ યોનિઓમાં પરિભ્રમણ કરતો રહે છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy