SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ તરવ-દશન ૬૪૮. ( આ પ્રમાણે વ્યવહારનયથી જીવ શરીરવ્યાપી છે, કિન્તુ-) એ જ્ઞાન પ્રમાણ છે, જ્ઞાન રેય પ્રમાણ છે તથા ય લોકઅલેક છે એટલા માટે જ્ઞાન સર્વવ્યાપી છે. આત્મા જ્ઞાન પ્રમાણ હોવાથી આત્મા પણ સર્વ વ્યાપી છે. જીવ બે પ્રકારના છે– સંસારી અને મુક્ત. બનેય ચેતના સ્વભાવવાળા અને ઉપયોગ લક્ષણવાળા છે. સંસારી જીવ શરીરી હાય છે અને મુક્ત જીવ અશરીરી. ૬૫૦. સંસારી જીવ પણ ત્રસ અને સ્થાવર– બે પ્રકારના છે. પૃથ્વીકાયિક, જલકાયિક, તેજકાયિક, વાયુકાયિક, અને વન સ્પતિકાયિક— આ બધા એકેન્દ્રિય સ્થાવર જીવ છે, અને શંખ, કીડી, ભમરો તથા મનુષ્ય-પશુ વગેરે ક્રમશઃ બે ઇંદ્રિય, ત્રણ ઇંદ્રિય, ચાર ઇંદ્રિય અને પાંચ ઇંદ્રિયવાળા ત્રસ જીવ છે. . ૩૬. સૃષ્ટિ સૂત્ર ૬૫૧. વાસ્તવિક રીતે આ લોક અકૃત્રિમ, અનાદિનિધન, સ્વભાવથી જ નિર્મિત, જીવ અને અજીવ દ્રવ્યોથી વ્યાપ્ત અને સંપૂર્ણ - આકાશનો જ એક ભાગ છે તથા નિત્ય છે. પર. (લોકમાં વ્યાપેલા–) પુદ્ગલ-પરમાણુ એક પ્રદેશ છે— બે, ત્રણ આદિ પ્રદેશી નથી તથા એ શબ્દરૂપ નથી. છતાં એમાં ચીકણા અને લુખા સ્પર્શનો એવો ગુણ છે કે એક ' પરમાણુ બીજા પરમાણુઓ સાથે જોડાવાથી બે પ્રદેશી આદિ કંધનું રૂપ ધારણ કરી લે છે. ૬૫૩. બે પ્રદેશી આદિ તમામ સૂક્ષમ અને બાઇર (ધૂળ) સ્કંધ પોતપોતાના પરિણમન દ્વારા પૃથ્વી, જલ, અગ્નિ, અને વાયુના રૂપમાં અનેક આકારવાળા બની જાય છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy