SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ તરવ-દશન २०१ ૬૨૭. જીવ અને પુગલકાય – આ બે દ્રવ્યો સક્રિય છે. બાકીનાં બધાં નિષ્ક્રિય છે. જીવ સક્રિય બને છે તેમાં કર્મ, નોકર્મરૂપ પુગલ બાહ્ય સાધન છે અને પુદ્ગલ સક્રિય બને છે તેમાં કોલદ્રવ્ય બાહ્ય સાધન છે. ૬૨૮. ધર્મ અધર્મ અને આકાશ – આ ત્રણેય દ્રવ્યો સંખ્યામાં એક-એક છે. ( વ્યવહાર –)કાળ, પુદ્ગલ અને જીવ - આ ત્રણેય દ્રવ્યો અનંત-અનંત છે. ૨૯. ધર્મ અને અધર્મ – આ બન્ને દ્રવ્ય લોક પ્રમાણ છે. આકાશ લોક અને અલકમાં વ્યાપ્ત છે. (વ્યવહાર –) કાળ કેવળ સમયક્ષેત્ર અર્થાત્ મનુષ્યક્ષેત્રમાં જ છે. ૬૩૦. આ બધાં દ્રવ્યો પરસ્પરમાં પ્રવિષ્ટ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અવકાશ આપીને રહેલું છે. આ બધાં આ પ્રમાણે અનાદિ કાળથી. ( એક બીજા સાથે) મળેલાં છે છતાં પોત પોતાના સ્વભાવને છોડતાં નથી. ૬૩૧. ધર્માસ્તિકાય રસ, રૂપ, સ્પર્શ, ગંધ, અને શબ્દ રહિત છે; સમસ્ત લોકાકાશમાં વ્યાપ્ત છે, અખંડ છે, વિશાલ છે અને અસંખ્યાત પ્રદેશ છે. ૬૩૨. જેવી રીતે આ લોકમાં પાણી માછલીઓના ગમનમાં સહાયક બને છે તેવી રીતે ધર્મદ્રવ્ય જીવો તથા પુગલના ગમનમાં સહાયક અથવા નિમિત્ત બને છે. ૬૩૩. ધર્માસ્તિકાય પોતે ગમન નથી કરતું અને બીજા દ્રવ્યોને પણ ગમન નથી કરાવતું. એ તો જીવ એને પુદ્ગલેની ગતિમાં ઉદાસીન કારણ છે. આ જ ધર્માસ્તિકાયનું લક્ષણ છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy