SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ મેક્ષમાગ ૧૭૫ ૫૫૩. જે ત્રસ જીવોની હિંસાથી વિરત થઈ ગયો છે પરંતુ એકેન્દ્રિય * સ્થાવર જી (વનસ્પતિ, જળ, ભૂમિ, અગ્નિ, વાયુ)ની હિંસાથી વિરત નથી થયો ત એક માત્ર જિન ભગવાનમાં જ શ્રદ્ધા રાખે છે એ શ્રાવક દેશવિરત ગુણસ્થાનવતી કહેવાય છે. પપ૪. જેણે મહાવ્રત ધારણ કરી વાળ્યાં છે, જે સકળ શીલ ગુણોથી યુક્ત થઈ ગયા છે છતાં પણ જેનામાં વ્યક્ત-અવ્યક્તરૂપે પ્રમાદ બાકી રહી ગયો છે એ પ્રમત્તસંયત ગુણસ્થાનવતી કહેવાય છે. આનું વ્રતાચરણ કિંચિત્ સદેષ હોય છે. ૫૫૫. જેને વ્યક્ત-અવ્યક્ત. સંપૂર્ણ પ્રમાદ નષ્ટ થઈ ગયું છે અને જે જ્ઞાની હોવા ઉપરાંત વ્રત, ગુણ, અને શીલની માળા વડે સુશોભિત છે છતાં પણ જે મેહનીય કર્મનો નથી તો ઉપશામ કરતો અને નથી ક્ષય કરી શકતો તે કેવળ આત્મધ્યાનમાં લીને રહેતો હોય છે અને એ શ્રમણ અપ્રમત્તસંયત ગુણરથાનવતા કહેવાય છે. પપ૬. આ આઠમાં ગુણસ્થાનમાં વિભિન્ન સમયમાં સ્થિત જીવ એવાં એવાં અપૂર્વ પરિણામો (ભાવ)ને ધારણ કરે છે જે પહેલાં કદિ એણે ધારણ કર્યા નહોતાં. આ માટે આનું નામ અપૂવકરણ ગુણસ્થાન છે. પપ૭. અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનાર (જ્ઞાનસૂર્ય) જિનેન્દ્રદેવે એ અપૂર્વ-પરિણામી જીવોને મેહનીય કર્મને ક્ષય અથવા ઉપશમ કરવામાં તત્પર કહ્યા છે. (મેહનીય કર્મનો ક્ષય - ". અથવા ઉપશમ તો નવમા અને દશમાં ગુણસ્થાનમાં થાય છે, છતાં એની તયારી આ આઠમાં ગુણસ્થાનમાં જ શરૂ થઈ જાય છે.) * વિશેષ જ્ઞાતવ્ય : અપ્રમત્તસંયત ગુણસ્થાનથી આગળ બે શ્રેગીઓનો આરંભ થાય છે – ઉપશમ અને ક્ષપક. ઉપશમ શ્રેણીવાળે તપસ્વી મેહનીય કર્મનો ઉપશમ કરતો થકો અગીયારમાં ગુણસ્થાન સુધી ચડી ગયા પછી પણ ફરીથી મેહનીય કમનો ઉદય થવાથી પડી જાય છે, જયારે બીજે ક્ષપક શ્રણવાળા મેહનીય કર્મનો સંપૂરો ક્ષય કરી આગળ વધી જાય છે તથા મોક્ષ પ્રાપ્ત કરી વાળે છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy