SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨. આત્મવિકાસસૂત્ર (ગુણસ્થાન) ,, 66 ગુણ યા ગુણસ્થાન ૫૪૬. માહનીય વગેરે કર્મના ઉદય આદિ (ઉપશમ, ક્ષય, ક્ષયેાપશમ વગેરે)થી થનાર જે પરિણામેાથી યુક્ત જીવને પીછાણી શકાય છે એમને સદેશી જિનેન્દ્રદેવે સ'જ્ઞા આપી છે. અર્થાત્ સમ્યકૃત્વાદિની અપેક્ષાએ જીવાની અવસ્થાને—શ્રેણીને—ભૂમિકાને ગુણસ્થાન કહેવામાં આવે છે. ૫૪૭-૫૪૮. મિથ્યાત્વ, સાસાદન, મિશ્ર, અવિરત-સમ્યગ્દષ્ટિ, દેશવિરત, પ્રમત્તવિરત, અપ્રમત્ત-વિરત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ-સામ્પરાય, ઉપશાંતમેાહ, ક્ષીણમેાહ, સચેાગિ-કેવલીજિન, અયાગિ કેવલીજિન—આ અનુક્રમે ચૌદ જીવ-સમાસ અથવા ગુણસ્થાન છે. સિદ્ધ જીવા ગુણસ્થાનાતીત હોય છે. ૫૪૯. તત્ત્વાર્થ પ્રતિ શ્રદ્ધાના અભાવ મિથ્યાત્વ કહેવાય છે. આ ત્રણ પ્રકારનું છે—સંશચિત, અભિગૃહીત અને અનભિગૃહીત. ૫૫૦. સમ્યક્ત્વ-રત્નરૂપી પર્વતના શિખર ઉપરથી ગબડી પડીને જીવ મિથ્યાત્વભાવની અભિમુખ થઈ ગયા છે—મિથ્યાત્વની તરફ વળી ગયા છે, પરંતુ ( સમ્યક્ત્વ નષ્ટ થઈ ગયા પછી પણ ) જેણે હજી સુધી પણ સાક્ષાત્ મિથ્યાત્વભાવમાં પ્રવેશ નથી કર્યાં એ મધ્યવર્તી અવસ્થાને સાસાદન નામનું ગુણ સ્થાન કહે છે. ૫૫૧. દહીં અને ગેાળની મેળવણીના સ્વાદની માફ્ક સમ્યકત્વ અને મિથ્યાત્વના મિશ્રિત ભાવ એટલે કે પરિણામ જેને અલગ ન કરી શકાય એને સમ્યકત્વ-મિથ્યાત્વ અથવા મિશ્ર ગુણસ્થાન કહે છે. પપર. ઇન્દ્રિયાના વિષયાથી જે વિરત થયા નથી તથા ત્રસ-સ્થાવર જીવાની હિંસાથી પણ ઉપરત થયેા નથી પરંતુ કેવળ જિનેન્દ્ર પ્રરૂપિત તત્ત્વાર્થમાં શ્રદ્ધા રાખતા હાય એ વ્યક્તિ અવિરત-સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનવતી કહેવાય છે. - ૧૭૩ -
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy