SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ મેક્ષમાગ પર૧. માંસ અને હીના મેળમાંથી ઉત્પન્ન થયેલ, મળ-મૂત્રથી ભરેલું, અને નવ છિદ્રોમાંથી અસ્વચ્છ પદાર્થ વહાવનારા આ - શરીરમાં ક્યાંથી સુખ હોઈ શકે ? પર૨. મેહના ઉદયથી થનારા આ સર્વ ભાવ તજેવા છે એવું જાણું ઉપશમ (સામ્ય) ભાવમાં લીન મુનિ આનો ત્યાગ કરી દે છે. આ એની આસ્રવ અનુપ્રેક્ષા છે. પર૩. ત્રણ ગુપ્તિઓ દ્વારા ઈદ્રિયોને વશમાં રાખનારા તથા પાંચ સમિતિઓના પાલનમાં અપ્રમત્ત એવા મુનિના આસવદ્વારોને નિરોધ થઈ ગયા બાદ નવીન કમરજનો આસવ નથી થતો. આ સંવર અનુપ્રેક્ષા છે. પ૨૪. લેક અસાર છે તથા આ સંસાર એક દીર્ઘ યાત્રા છે એમ જાણીને મુનિ પ્રયત્નપૂર્વક લેકના સર્વોચ્ચ અગ્ર ભાગમાં સ્થિત એવા મુક્તિપદનું ધ્યાન કરે છે કે જ્યાં મુકત (સિદ્ધ) જીવ સુખેથી સદા રહે છે. પ૨૫. જરા અને મરણના જોશીલા પ્રવાહમાં ઘસડાતા અને ડૂબતા . પ્રાણીઓ માટે ધર્મ જ દ્વીપ છે, પ્રતિષ્ઠા છે, ગતિ છે, તથા ઉત્તમ શરણ છે. પર૬. (પહેલાં તો ચાર ગતિઓમાં ભમનારા જીવ માટે મનુષ્ય - શરીર મેળવવું એ જ દુર્લભ છે, છતાં) મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી પણ જે ધર્મના શ્રવણથી તપ, ક્ષમા અને અહિંસા પ્રાપ્ત કરી શકાય એવા ધર્મનું શ્રવણ તે ઓર કઠિન છે. પર૭. કદાચ ધર્મશ્રવણ થઈ પણ જાય તો છેવટ એના ઉપર શ્રદ્ધા થવી મહા કઠિન કામ છે કારણ કે ઘણું લોકે ન્યાયયુક્ત મોક્ષમાર્ગનું શ્રવણ કરીને પણ એમાંથી વિચલિત થઈ જાય છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy