SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮. તપસૂત્ર () બાહ્યત૫ ૪૩૯. જ્યાં કષાયોનો નિરોધ, બ્રહ્મચર્યનું પાલન, જિન પૂજન તથા અનશન (આત્મહિત માટે) કરવામાં આવે છે એ બધું તપ છે. વિશેષતયા, મુગ્ધ અર્થાત્ ભક્તો એ જ તપ કરે છે. ૪૪૦. તપ બે પ્રકારનું છે– બાહ્ય અને અત્યંતર. બાહ્ય તપ છ પ્રકારનું છે. એ પ્રમાણે અત્યંતર તપ પણ છ પ્રકારનું કહેવામાં આવ્યું છે. ૪૪૧. અનશન, અવમોદર્ય (ઉદરિકા), ભિક્ષાચર્યા, રસ પરિત્યાગ, કાયક્લેશ, અને સંલીનતા-આ પ્રમાણે બાહ્ય તપ છ પ્રકારનું છે. * ૪૪૨. કર્મોની નિર્જરા માટે, એક-બે દિન વગેરેનું (યથાશક્તિ) " પ્રમાણ નકકી કરી આહારને ત્યાગ સરળતાથી કરે છે એનું એ અનશન તપ કહેવાય. ૪૪૩. જે શાસ્ત્રાભ્યાસ (સ્વાધ્યાય) માટે શેડો આહાર કરે છે એને જ આગમમાં તપસ્વી કહેવામાં આવ્યા છે. શ્રુતવિહીન અનશન તપ તો કેવળ ભૂખને આહાર–ભૂખે મરવું કહેવાય છે. ૪૪૪. જેથી મનમાં કોઈ પણ જાતના અમંગળની ચિંતા ઉત્પન્ન ન થાય, ઇંદ્રિયમાં શિથિલતા ન આવે અને જે મન, વચન તથા કાયાના યોગોમાં પતનનું કારણ ન બને એને જ વાસ્તવમાં અનશન–તપ કહેવામાં આવે છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy