SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષમાર્ગ ૧૨૫ ૩૮૬. આ પાંચ સમિતિઓ ચારિત્રમાં પ્રવૃત્ત થવા માટે છે અને ત્રણ ગુપ્તિઓ તમામ અશુભ વિષયથી નિવૃત્ત થવા માટે છે. ૩૮૭. ગુપ્તિ પાલન કરનારને અનુચિત ગમનાગમનના દોષ જેવી રીતે નથી લાગતા તેવી રીતે સમિતિ પાલન કરવાવાળાને પણ નથી લાગતા. આનું કારણ એ છે કે મુનિ જ્યારે મને ગુપ્તિ આદિમાં સ્થિત હોય છે ત્યારે એ અગુપ્તિમૂલક પ્રમાદને રોકે છે કે જે દોષનું કારણ છે. જ્યારે એ સમિતિમાં સ્થિત થાય છે ત્યારે ચેષ્ટા કરતી વખતે થનાર પ્રમાદ રોકે છે. ૩૮૮. જીવ મરે કે જીવે, અયતનાપૂર્વક ચાલનારને હિંસાને દોષ અવશ્ય લાગે છે. પરંતુ જે સમિતિઓમાં પ્રયત્નશીલ છે તેનાથી બાહ્ય હિંસા થઈ જાય તે પણ એને કર્મબંધ નથી થતો. ૩૮-૩૯૦. (આનું કારણ એ છે કે, સમિતિનું પાલન કરનાર સાધુથી * જે આકસ્મિક હિંસા થઈ જાય છે એ કેવળ દ્રવ્ય-હિંસા છે, ભાવ હિંસા નથી. જે અસંયમી હોય છે અથવા અયતનાચારી હોય છે તેનાથી ભાવહિંસા થાય છે – આ લોકો જે જીવોને કદિ મારતા નથી તેની હિંસાને દોષ પણ એમને લાગે છે. જેવી રીતે અયતનાચારી સંયત અથવા અસંયત વ્યક્તિને કઈ પ્રાણીનો ઘાત થવાથી દ્રવ્ય તથા ભાવ અને પ્રકારની હિંસાને દોષ લાગે છે તેવી રીતે ચિત્તશુદ્ધિ વાળા સમિતિપરાયણ સાધુ દ્વારા (મનથી) કેાઈને ઘાત ન થવાને કારણે એને દ્રવ્ય તથા ભાવ અને પ્રકારની અહિંસા થાય છે. ૩૯૧-૩૯૨. ઈ-સમિતિપૂર્વક ચાલનારા સાધુના પગ નીચે અચાનક કઈ ના જીવ આવી જાય અને કચડાઈને મરી જાય તો આગમ ભાખે છે કે એથી સાધુને સૂકમ માત્ર પણ બંધ
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy