SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ મેક્ષમાગ ૩૬૬. જે વ્રતી મોક્ષસુખની ઉપેક્ષા અથવા અવગણના કરીને ( પરભવમાં ) અસાર સુખની પ્રાપ્તિ માટે નિદાન અગર ઈચ્છી કરે છે એ કાચના ટુકડા માટે વેડૂર્યમણિને ગુમાવે છે. ૩૬૭. કુલ, એનિ, જીવસ્થાન, માર્ગણાસ્થાન વગેરેમાં જીવોને જાણીને એની સાથેના સંબંધમાં આરંભથી નિવૃત્તિરૂપ (આત્યંતર) પરિણામ પ્રથમ અહિંસાત્રત કહેવાય છે. ૩૬૮. અહિંસા તમામ આશ્રમેનું હૃદય, તમામ શાસ્ત્રોનું રહસ્ય તથા તમામ વ્રત અને ગુણેનો પિંડભૂત સાર છે. ૩૬૯ સ્વયં પોતાને માટે અથવા બીજાને માટે ક્રોધ વગેરે અથવા ભય વગેરેને અધીન થઈ હિંસાત્મક અસત્ય વચન ન તો પોતે બોલવું જોઈએ અને ન બીજા પાસે બોલાવવું જોઈએ. આ બીજું સત્યવ્રત કહેવાય છે. - ૩૭૦. ગામ, નગર અથવા અરણ્યમાં બીજાની વસ્તુને જોઈને એને ગ્રહણ કરવાના ભાવને તજનારા સાધુનું એ ત્રીજું અચૌર્યવ્રત કહેવાય. ૩૭૧. સચેતન અથવા અચેતન, ડું અથવા ઝાઝું, જે સાધુને દેવામાં ન આવે તો તે લેતા નથી. દાંત સાફ કરવાના બ્રશ જેવી ચીજ પણ દેવામાં ન આવે તો તે લેતા નથી. - ૩૭૨. ગોચરીએ જનાર સાધુએ વજર્ય ભૂમિમાં પ્રવેશ ન કર જોઈએ. કુલ-ભૂમિ છે એવું જાણું એના પણ મર્યાદિત પ્રદેશમાં જ સાધુએ ગોચરીએ જવું
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy