SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષમાર્ગ ૧૦૩ ૩૧૩. અચૌર્યાવ્રતી શ્રાવકે ન ચોરીનો માલ ખરીદવો જોઈએ કે ન કોઈને ચોરી કરવા માટે પ્રેરવો જોઈએ. તેમ જ રાજ્ય વિરૂદ્ધ અર્થાત્ ટેકસ-કર વગેરેની ચેરી કે નિયમવિરૂદ્ધનું કોઈ કાર્ય કરવું નહીં જોઈએ. વસ્તુઓમાં ભેળસેળ વગેરે ન કરવી જોઈએ. ખોટા સિક્કા કે નોટ ન બનાવવા જોઈએ. ૩૧૪. સ્વ-સ્ત્રીમાં સંતુષ્ટ બ્રહ્મચર્યાણુવ્રતી શ્રાવકે વિવાહિત કે અવિવાહિત સ્ત્રીથી સર્વથા દૂર રહેવું જોઈએ. અનંગ કીડા કરવી ન જોઈએ. પોતાનાં સંતાન સિવાય બીજાના વિવાહાદિ કરાવવામાં રસ ન લેવો જોઈએ. ( પોતાને પણ બીજી વખત વિવાહ ન કરવો જોઈએ એ અર્થ પણ આમાં શામિલ છે. ) કામસેવનની તીવ્ર લાલસાનો પણ ત્યાગ કરવો જોઈએ. ' ૧૫-૩૧૬. અપરિમિત પરિગ્રહ અનંત તૃષ્ણાનું કારણ છે. એ બહુ જ દોષયુક્ત છે તથા નરક ગતિનો માર્ગ છે. એટલા માટે પરિગ્રહ-પરિમાણવ્રતી વિશુદ્ધ ચિત્ત શ્રાવકે ક્ષેત્ર-મકાન, સોના-ચાંદી, ધન-ધાન્ય, દ્વિપદ-ચતુષ્પદ તથા ભંડાર (સંગ્રહ) વગેરે પરિગ્રહના અંગીકૃત પરિમાણનું અતિક્રમણ ન કરવું જોઈએ. ૩૧૭. એણે સંતોષ રાખવો જોઈએ. “ આ વખતે મેં ભૂલમાં થોડું ભેગું કર્યું, આગળ આવશ્યકતા ઊભી થતાં ફરીથી વધુ ભેગું કરી વાળીશ.”– આવો વિચાર એણે ન કરવો જોઈએ. ૩૧૮. શ્રાવકનાં સાત શીલવતોમાં આ ત્રણ ગુણવ્રત છે– દિશા વિરતિ, અનર્થદંડ-વિરતિ, તથા દેશાવકાશિક.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy