________________
9
નજર
સરસરી નાખતાં સ ૧૭, àાક ૧૧૩ની ટીકામાં દેહરાસર શબ્દ વાપરવામાં આવ્યેા છે. તેના પર મારી દૃષ્ટિ પડી. આવા અનેક દૃશ્યશબ્દો પ્રસ્તુત ટીકામાંથી આપણને મળી શકે.
મૂળ પાઠે આમ छे : यस्योपदेशाद् बहवो विहाराः संजज्ञिरे મન્દિર ચૈત્યગુન્હા:। ટીકામાં લખ્યું છે : મન્દિરનૈત્યયુાઃ ગૃહદેવતાયસર સદિતા: ફેદરાસર કૃત્તિ... અહીં મન્દિર અને ચૈત્ય શબ્દ એકાક લાગે; પણ તેની સ્પષ્ટતા કરતાં ટીકાકારે ઘરદેહરાસર માટે ચૈત્ય શબ્દવાપર્યા છે.... સેવતા-અવસર શબ્દ આપણને ખ્યાલ આપે છે કે એસરી શબ્દનું મૂળ અવસર શબ્દમાં છે.
ગ'ભીર અધ્યયનની આવશ્યક્તા : -
ઉપર જેની આછી શી માહિતી આપી છે તેવી સામગ્રી વૃત્તિમાં ખૂબ પડી છે. રસજ્ઞ વાચક માટે મૂળ કાવ્ય રસના ખજાના ખાલી આપે છે અને જ્ઞાનપિપાસુ વાચકને તેની વૃત્તિ અધ્યયન/સંશેાધનની નવી નવી તકે પૂરી પાડે છે
વર્તમાન સમયમાં, જયારે ગંભીર અધ્યયન વિરલ બન્યું છે ત્યારે આવી મહાકાવ્યનું અધ્યયન વધુને વધુ પ્રમાણમાં થવુ જોઇએ. સંસ્કૃત વ્યાકરણુના અભ્યાસ પછી સસ્કૃત ભાષાની વ્યુત્પત્તિ માટે આ કાવ્યના તેમજ તેને પગલે પગલે સામ સૌભાગ્ય, વિજય પ્રશસ્તિ, વિજય દેવ માહાત્મ્ય વગેરેનું અધ્યયન જરૂરી છે.
પ્રસ્તુત મહાકાવ્ય પરથી સમકાલીન કવિ શ્રી ઋષભદાસે હીરવિજયસૂરિના રાસ વિ. સં. ૧૬૮૫માં રચ્યા છે. પ્રાચીન ગુજરાતી ભાષાના અધ્યેતાએ માટે પ્રસ્તુત રાસમાં વિપુલ સામગ્રી ભરેલી છે.
દેવકીનન જૈન ઉપાશ્રય,
નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩ માગસર વદ ૩, ૨૦૪૧