SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ કરી શકીએ. તેમ કરતાં આપણે અપૂર્ણતામાં પૂર્ણતા માનવાને જ ડોળ કર્યો ગણાય. આ રીતે જોતાં ગમે તે વિષય હોય તેનું જ્ઞાન મેળવવું અને તે સંબંધી જુદી જુદી માન્યતાઓ જાણી લેવી તે વિશેષ જિજ્ઞાસુનું પ્રાથમિક લક્ષણ હોવું જોઈએ. સ્વર્ગ અને નરકની કલ્પના માત્ર જૈન શાસ્ત્રમાં નથી દુનીયા ઉપરના પુનર્જન્મવાદી દરેક સંપ્રદાયે સ્વર્ગ અને નરકનું સામાન્ય તાવ સ્વીકારેલું છે. તેથી તે સંબંધીની જેને માન્યતા જેવા ઈચ્છનારને આ ગ્રંથ ખાસ ઉપયોગી છે. જૈનશાસના ખાસ અભ્યાસિઓને તે આ ગ્રંથમાંથી સ્વર્ગ નરકને લગતું જેટલું વર્ણન મળશે તેટલું બીજે ક્યાંઈથી મળવું કઠણ છે. જેઓ સ્વર્ગ નરકની પુરાણુગત વૈદિક તથા માહિતી ધરાવતા હોય તેઓને પણ સરખામણી ખાતર તે વિષચના બધા જેનગ્રંથ જેવાને શ્રમ આ એકજ ગ્રંથથી બચી શકે છે. દિગંબર શાસ્ત્રના અભ્યાસીઓ પણ આ ગ્રંથથી ઘણું જાણી શકે છે. કારણ આ એકજ ગ્રંથના અવલોકનથી વર્ગ નરક સંબંધી વેતાંબરીય સકલ શાસ્ત્રનું મંતવ્ય અનાયાસે જાણી શકાય છે. જૈન શાસ્ત્રના અધ્યાપકેને તે આ ગ્રંથ ઘણીજ નવી બાબતે શિખવી શકે છે. તેથી આ ગ્રંથ કેટલો ઉપયોગી છે એ વાત દરેક વાચકને લક્ષમાં આવી શકશે. ઉપયોગીતાને આધાર અધિકારી ઉપર છે. જે વસ્તુ અમુક માટે બહુ ઉપયોગી હોય તે બીજા માટે ઉપયોગી ન પણ હોય તેથી કાંઈ તેની સામાન્ય ઉપગીતા બાધિત થતી નથી. આ રીતે જોતાં સ્વર્ગ અને નરકના વિશેષ જિજ્ઞાસુઓ માટે આ ગ્રંથ ખાસ ઉપયોગી જણાયાથી તેને પ્રકાશિત કરવા પ્રયાસ લીધેલ છે. સાથે સાથે એક પ્રાચીન અને અપૂર્વ ગ્રંથને ઉદ્ધાર પણ થઈ જાય છે.
SR No.002260
Book TitleDevendra Narkendra Prakaranam
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1989
Total Pages196
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy