SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ . નિમિત્ત માત્રોડક્રમ્ - પરમતાક પરમાત્માના શાસનના રહસ્યને સરળતાથી સમજાવવા માટે ધર્મકથાનુયોગનું વર્ણન શાસ્ત્રોમાં આવે છે. દ્વાદશાંગી પૈકી છઠ્ઠા અંગસૂત્ર શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્રમાં ૩ (સાડાત્રણ) કરોડ કથાઓ હતી તેમજ શ્રી ઉપાશક દશાંગ આ બન્ને ગ્રંથો ધર્મકથાનુયોગના છે તેને આશ્રયીને આજ સુધી અનેકાનેક મહાપુરુષોએ વિવિધ વિષયની અનેક ધર્મકથાઓ બનાવી છે. - તે પૈકી આ પ્રસ્તુત ગ્રંથ શ્રી રત્નપાલનૃપચરિત્રના કર્તા સહસ્ત્રાવધાની પૂજ્યપાદ આ.ભ.શ્રી વિજય મુનિસુંદરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન વાચનાચાર્ય શ્રી સોમમંડન ગણિવર છે. આ કથા મુખ્યત્વે ધર્મના ચાર પ્રકારો દાન-શીલ-તપ-ભાવ. પૈકી શીલ ધર્મ ઉપર ૮૦૫ શ્લોક પ્રમાણ રચવામાં આવી છે. અવાત્તર કથાઓ દ્વારા આ ગ્રંથને ખૂબજ રોચક બનાવવામાં આવ્યો છે. - આજ કથા શ્રીધર્મકલ્પદ્રુમ ગ્રંથમાં પલ્લવ-૪ અને -પમાં કુલ શ્લોક૧૩૨૩ માં આગમગચ્છીય શ્રી ઉદયધર્મગણિવરે રચેલી છે. - આ ગ્રંથ બેવાર વાંચતા-વંચાવતા ગમી ગયો અને વિચાર આવ્યો કે આને પુનઃ પ્રકાશિત કરવામાં આવે તો જરૂર વાચક ગણને લાભ થાય તે ઉદેશથી મારા ભવોદધિ તારક પરમારાથ્યપાદ પરમતારક ગુરુદેવશ્રીજીની • કૃપા બળે તેમજ મારા જ્ઞાનદાતાગુરુદેવ આશ્રિતગણહિતચિંતક પૂજ્યપાદ આ.ભ.શ્રી વિજય મરચન્દ્રસૂરીશ્વરજી મ.સા. તથા મારાદીક્ષાગુરુદેવ . સૂરિમંત્રપંચપ્રસ્થાન સમારાધક પૂજ્યપાદ આ.ભ.શ્રી વિજય શ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મ.સા.ના શુભાશિર્વાદથી આચાર્યવિજય યોગતિલકસૂરિજી મ. તથા મુનિશ્રી શ્રુતતિલકવિજયજી મ.ના સહયોગથી આ સંપાદન થયું છે. જોકે હું તો નિમિત્તમાત્ર છું બાકી તો મુખ્ય કામ તે મુનિશ્રી કૃતતિલકવિજયજી મ. દ્વારા થયું છે. પ્રાને આ ગ્રંથના વાંચન-મનન દ્વારા દુર્લભ એવા માનવ જીવનને શીલધર્મમય બનાવી પ્રાન્ત પરમપદને પામનારા બનીએ એજ શુભાભિલષા. ભવોદધિતારક ગુરુદેવવિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો વિનય મુનિ ધર્મતિલકવિજય અ. સુ. ૬. ૨૦૬૩ શાંતિભુવન. જામનગર
SR No.002247
Book TitleRatnapal Nrup Charitram
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri, Dharmtilakvijay
PublisherSmruti Mandir Prakashan
Publication Year2008
Total Pages106
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy