SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ આદિ ગ્રંથોના નામ સાથે કેટલાક અવતરણો અપાયા છે. આ ગ્રંથો વર્તમાનમાં કેટલાક અપ્રગટ છે, એટલે કે અમુદ્રિત છે. ભિન્ન ભિન્ન હસ્તલિખિત જ્ઞાનભંડારોમાંથી આ ગ્રંથોની હસ્તપ્રતિઓ મેળવીને અવતરણોના મૂળસ્થાનો શોધ્યા છે. આવા છે. બૃહત્કલ્પસૂત્ર પર બે ચૂર્ણિ રચાઈ છે. એક-વિશેષચૂર્ણિ, બે-ચૂર્ણિ. પૂર્વપક્ષકારે બંને ચૂર્ણિનો ઉલ્લેખ કર્યો છે. વિશેષચૂર્ણિનો ‘ત્યાં ચૂના’ તરીકે અને ચૂર્ણિનો ‘દ્વિતીયામાં ચૂની' તરીકે ઉલ્લેખ કર્યો છે. પં.ચંદ્રકાંત સંઘવી દ્વારા પાટણના હેમચંદ્રાચાર્ય જૈનજ્ઞાનભંડારમાંથી બંને ચૂર્ણિઓની હસ્તપ્રતિ પ્રાપ્ત થતાં વાદસ્થાનકમાં જ્યાં જ્યાં બૃહત્કલ્પની ગાથાઓ સાક્ષિપાઠરૂપે અપાઈ છે ત્યાં ટીપ્પણમાં ચૂર્ણિ, વિશેષચૂર્ણિ અને શ્રીક્ષેમકીર્તિસૂરિષ્કૃતવૃત્તિના પાઠો પણ મૂક્યા છે. ૩. મૂલશુદ્ધિપ્રકરણનો આ ગ્રંથમાં ‘સ્થાનક’ શબ્દથી ઉલ્લેખ કર્યો છે. આ ગ્રંથનો પ્રથમ ભાગ પ્રાકૃતટેક્ષ સોસાયટી તરફથી વર્ષો પૂર્વે છપાયો છે. જેમાં પ્રથમ ૪ સ્થાનકનું વિવરણ છે એટલે કે એકથી સો ગાથાનું વિવરણ છે. પૂર્વપક્ષકારે જે નર્મદાસુંદરીકથાનકની ગાથા મૂકી છે તે મૂલશુધ્ધિપ્રકરણની ૧૭૮ મી ગાથાની વૃત્તિમાં અપાયેલી નર્મદાસુંદરીકથાનકની ૧૨૬મી ગાથા છે. સંપૂર્ણ કથાનક ૨૪૮ ગાથા પ્રમાણ છે. પ્રસંગોપાત્ અહીં એક બીજી વાત કરીએ... - મૂલશુધ્ધિના વૃત્તિકાર શ્રીદેવચંદ્રસૂરિમહારાજે નર્મદાસુંદરીકથાનક વસુદેવહૂંડી ગ્રંથના આધારે લખ્યું છે. તેવો નિર્દેશ તેઓશ્રીએ તે કથાની છેલ્લી ગાથામાં એટલે કે ૨૪૮ મી ગાથામાં આ મુજબ કર્યો છે : ‘“इय पवरसईए नम्मयासुंदरीए चरियमइपसत्थं कारयं निव्वुईए । हरिजणयसुहिंडीमज्झयाराउ किंची, लिहियमणुगुणाणं देउ सोक्खं जाणं ॥ २४८॥ વસુદેવહિંડી ગ્રંથનો પ્રથમ ખંડ ૧૦૪૮૦. શ્લોકપ્રમાણ છે. તથા દ્વિતીયખંડ લગભગ ૧૭૦૦૦ શ્લોકપ્રમાણ છે. પ્રથમખંડ પ્રગટ છે. જ્યારે દ્વિતીયખંડ હાલ અપ્રગટ છે. પ્રથમખંડના રચિયતા સંઘદાસગણિ છે જ્યારે દ્વિતીયખંડના રચયિતા શ્રીધર્મસેનગણિ છે. વર્તમાનમાં પ્રાપ્ત થતી વસુદેવહિંડીની પ્રગટ કે અપ્રગટ કૃતિમાં એટલે કે પ્રથમ કે દ્વિતીયખંડમાં નર્મદાસુંદરી કથા ક્યાંય જોવા મળતી નથી. હા, પ્રથમખંડના ૧૯ તથા ૨૦ નંબરના બે લંભક નષ્ટ થઈ ગયા છે, જે વર્તમાનમાં મળતા નથી ત્યારે એવી કલ્પના કરી શકાય કે આ બે લંભકમાંથી એક લંભક નર્મદાસુંદરી લંભક હોઈ શકે. અથવા તો શ્રીભદ્રબાહુસ્વામીએ રચેલ વસુદેવચરિત્રમાંથી આ કથાનક લીધું હોવું જોઈએ. ભદ્રબાહુસ્વામીએ રચેલ વસુદેવચરિત્ર ભલે વર્તમાનમાં પ્રાપ્ત થતું નથી, પરંતુ શ્રીભદ્રબાહુસ્વામીએ સવાલાખશ્લોક પ્રમાણ વસુદેવચરિત્રની રચના કરી છે તેવો ઉલ્લેખ આ.શ્રી દેવચંદ્રસૂરિમહારાજે શ્રી શાન્તિનાથચરિત્રના પ્રારંભમાં આ રીતે કર્યો છે.
SR No.002237
Book TitleMohonmulanvadsthanakam
Original Sutra AuthorN/A
AuthorJaysundarvijay, Mahabodhivjay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages100
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy