SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૯] તપની પ્રઘાનતા પ૯ “ઉપાશ્રયની બહાર કાયોત્સર્ગમાં ઊભા રહેલા સુસ્થિત સાધુ ચારે પ્રહર સુધી યોગમાં નિશ્ચળ રહ્યા, તે છેલ્લા તપાચારને આચરતા સદ્ગણી મુનીશ્વરની હું સ્તુતિ કરું છું.” વ્યાખ્યાન ૨૯ તપની પ્રધાનતા तपो मुख्यं हि सर्वत्र, न कुलं मुख्यमुच्यते । हरिकेशी श्वपाकोऽपि, स्वःपूज्योऽभून्महाव्रतैः॥१॥ ભાવાર્થ-“સર્વત્ર તપ જ મુખ્ય છે, કુળ મુખ્ય કહેવાતું નથી. જુઓ! હરિકેશી નામનો ચાંડાળ પણ પાંચ મહાવ્રતોથી દેવને પૂજ્ય થયો હતો.” હરિકેશી મુનિની કથા મથુરાપુરીમાં શંખ નામના યુવરાજે ઘર્મ શ્રવણ કરીને દીક્ષા ગ્રહણ કરી. વિહાર કરતાં કરતાં રાજપુર (હસ્તિનાપુર)માં આવ્યા, ત્યાં ભિક્ષાને માટે તસવાલુકાવાળી નરક પૃથ્વી સમાન અને દેવના પ્રભાવથી દાવાનળ રૂપ હુતવહા નામની એક શેરી હતી. તે શેરીમાં જે કોઈ ચાલતું તે તરત જ મૃત્યુ પામતું હતું. મુનિએ તે શેરીને માણસના સંચાર વિનાની જોઈને પુરોહિતના પુત્રને પૂછ્યું કે, “આ શેરીમાં માણસો ચાલે છે કે નહીં?” તેણે ભલે આ બળી જાય' એવા દુષ્ટ આશયથી કહ્યું કે, “ચાલે છે.” તે સાંભળી મુનિ તરત જ તે શેરીમાં ચાલ્યા. તેમના તપના પ્રભાવથી તે શેરી શીતળ થઈ ગઈ. પેલો પુરોહિતનો પુત્ર ગવાક્ષમાં બેઠો હતો. તેણે મુનિને ઈર્યાપથિકી શોઘતા અને ધીમે ધીમે ચાલતા જોઈને “અહો! આ કોઈ મહાતપસ્વી છે.” એમ જાણી વિસ્મિત થયો. પછી એક દિવસ તે મુનિ પાસે ઉદ્યાનમાં જઈ તેમને નમીને બોલ્યો કે, “હે પૂજ્ય! મેં આપને પેલી શેરીમાં જવાની અનુજ્ઞા આપી હતી તે પાપથી હું શી રીતે મુક્ત થઈશ?” મુનિએ કહ્યું કે, “પ્રવ્રજ્યા ગ્રહણ કર.” તે સાંભળીને તેણે દીક્ષા લીધી; પરંતુ બ્રાહ્મણ હોવાથી તેણે જાતિમદ કર્યો. છેવટે આયુષ્ય પૂર્ણ થયે તે સ્વર્ગે ગયો. ત્યાંથી અવીને ગંગાને કાંઠે સ્મશાનના સ્વામી બલકોટ નામનો ચાંડાળ હતો, તેને ગૌરી અને ગાંઘારી નામની બે સ્ત્રીઓ હતી. તેમાં ગૌરીની કુક્ષિમાં તે પુત્રપણે ઉત્પન્ન થયો. પૂર્વ ભવે જાતિમદ કર્યો હતો તેથી તે કદરૂપો અને શ્યામ થયો. ચાંડાળોને પણ ઉપહાસ કરવા લાયક થયો. તેનું બળ નામ પાડ્યું. તે કોઈને પણ ભાંડવામાં કુશળ અને વિષવૃક્ષની જેમ સૌને દ્વેષ કરવા લાયક થયો સતો ઘણા લોકોને ઉદ્વેગ પમાડતો વૃદ્ધિ પામવા લાગ્યો. એકદા તેનો બંઘુવર્ગ પાનગોષ્ઠીમાં તત્પર થયો હતો, તે વખતે તેણે ભાંડચેષ્ટા કરીને સર્વની સાથે કલહ કર્યો તેથી તેઓએ તેને દૂર કર્યો. તે દૂર જઈને બેઠો, તેવામાં ત્યાં એક સર્પ નીકળ્યો. તેને જોઈને તે સર્વે ચાંડાળોએ એકદમ ઊઠીને, “આ ઝેરી સાપ છે.” એમ કહી તેને મારી નાંખ્યો, થોડી વારે બીજો દીપક જાતિનો સર્પ નીકળ્યો, તે વિષરહિત છે એમ જાણીને તેઓએ તેને જવા દીધો. તે સર્વ જોઈને બળે વિચાર્યું કે, “વિષઘારી સર્પ હણાય છે, અને દીપક (નિર્વિષ) સર્પ મૂકી દેવાય છે, માટે સર્વ કોઈ પોતાના જ ૧. મદિરાપાન કરવામાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy