SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન 361] સિદ્ધાચળ પર રહેલા પ્રાસાદનું વર્ણન 271 પ્રશસ્તિ જેના પ્રભાવથી શુભ સાધ્યને સાથી આપનાર આ પ્રાસાદનું નિર્વિધ્રપણે નિર્માપણ કરી શકાયું તે અનંત કલ્યાણના સ્થાનરૂપ ચિંતામણિ પાર્શ્વનાથને હું વંદન કરું છું. સ્તંભતીર્થમાં સૂરિમંત્ર આરાઘનના ઉદ્યમથી જેમને સૂરિમંત્રના અધિષ્ઠાયિક દેવનો આદેશ પ્રાપ્ત થયો તે ગુરુનું હું સ્મરણ કરું છું. ઘણા ગુણવાળા અને એકાગ્ર ચિત્તે નમસ્કારમંત્રનું ધ્યાન કરનારા શ્રીમાનું વિજયસૌભાગ્યસૂરિ નામના ગુરુની હું સ્તુતિ કરું છું. તે ગુરુના શિષ્ય શ્રી વિજયલક્ષ્મી નામના સૂરિએ આ ઉપદેશ પ્રાસાદ ગ્રંથ શાસ્ત્રોમાં દીઠેલા અક્ષરોને અનુસારે રચેલો છે, અને શ્રી પ્રેમવિજયાદિક મુનિઓને અભ્યાસ કરવા માટે તેની ઉપદેશસંગ્રહા નામની વૃત્તિ પણ કરેલી છે. આ ગ્રંથ સંવત 1883 ના કાર્તિક સુદી પૂર્ણિમાને દિવસે સંપૂર્ણ થયો છે. જ્યાં સુધી જગતમાં મેરુ પર્વત રહેલો છે, જ્યાં સુધી જગતમાં જૈનશાસન પ્રવર્તે છે, જ્યાં સુધી જ્યોતિષચક્ર આકાશમાં વિરાજમાન છે, અને જ્યાં સુધી સુરનદી (ગંગા)નો પ્રવાહ જગતમાં પ્રવર્તે છે, ત્યાં સુધી માનસરોવરના હંસ જેવા વિદ્વાનોથી વંચાતો સતો આ ગ્રંથ વિજયને પામો. આ ગ્રંથમાં કાંઈક અજ્ઞાનતાથી, કાંઈક બુદ્ધિના વિકલ્પરૂપ દોષથી, કાંઈક ઉત્સુકતાના વશથી અને કાંઈક સ્મૃતિના દોષથી જે કાંઈ રભસવૃત્તિ વડે ઉસૂત્ર પ્રરૂપણા થઈ હોય તેની પંડિતજનોએ ક્ષમા કરવી. આ શાસ્ત્રમાં મતિની મંદતાને લીધે કાંઈક શાસ્ત્રવિરુદ્ધ દ્રષ્ટાંતાદિક કહેવામાં આવ્યું હોય તો ઈર્ષ્યા નહીં રાખતાં મારા પર કરુણા લાવીને શુદ્ધ ચિત્તવાળા પંડિતોએ તેને શુદ્ધ કરવું (સુઘારવું). આ ગ્રંથ રચવાના પ્રયત્નથી જે કાંઈ સુકૃત થયું હોય તે સુકૃતથી આ ગ્રંથના વાંચનાર, ઉદ્ધરનાર તથા સાંભળનારને જૈનધર્મની પ્રાપ્તિ થાઓ. सर्व कल्याणकारणं, सर्वश्रेयस्कसाधनम् / प्रशस्यं पुण्यकृत्यानां, जयत्यारीतशासनम् // 1 // ભાવાર્થ-“સર્વ કલ્યાણનું કારણ, સર્વ શ્રેયનું સાધન અને પુણ્યક્યો વડે પ્રશંસા કરવાલાયક એવું શ્રી જૈનશાસન (જગતમાં) જય પામે છે.” TWઇત્યુપદેશપ્રાસાદઃ સમાસોરાં ગ્રંથઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy