SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૪ હોય તો તું નિઃશંકપણે તેની સેવા કર.” પછી એ વાત રાજાને જણાવીને તેની આજ્ઞાથી ગૈલોક્યસુંદરી સ્ત્રીનો વેષ ધારણ કરી પોતાને સાસરે ગઈ, અને તેની સાથે મંગળકુંભ વિલાસ કરવા લાગ્યો. એકદા મૈલોકયસુંદરીની પ્રેરણાથી મંગળકળશ રાજાની આજ્ઞા લઈને ચંપાનગરીએ ગયો. ત્યાંનો રાજા પણ પોતાની પુત્રીના મુખથી તેનું સર્વ વૃત્તાંત સાંભળીને હર્ષિત થઈ બોલ્યો કે “હે પુત્રી! તેં તારું કલંક દૂર કર્યું. પછી રાજાએ પેલા દુષ્ટ કાર્ય કરનાર મંત્રીને મારવાનો હુકમ કર્યો. તે વખતે મંગળકળશે વિનંતિ કરીને તેને છોડાવ્યો. પછી પુત્રરહિત એવા તે રાજાએ મંગળકળશને રાજ્ય પર બેસાડી પોતે યશોભદ્રસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. મંગળકળશને રાજ્યનું પ્રતિપાલન કરતાં જયશેખર નામનો પુત્ર થયો. એકદા જયસિંહ નામના આચાર્યને ઉદ્યાનમાં આવેલા સાંભળીને મંગળકળશે પ્રિયા સહિત ગુરુ પાસે જઈ તેમને વિંદના કરી. તેમની દેશના સાંભળ્યા પછી મંગળકળશે પૂછ્યું કે “હે ગુરુ! હું કયા કર્મથી આવા પ્રકારની વિવાહવિડંબના પામ્યો? તથા કયા કર્મથી મારી પ્રિયાને દૂષણ પ્રાપ્ત થયું?” સૂરિએ કહ્યું કે “પૂર્વે ક્ષિતિપ્રતિષ્ઠિતપુરમાં સોમચંદ્ર નામે એક કુળપુત્ર રહેતો હતો. તેને શ્રીદેવી નામની પત્ની હતી, અને જિનદેવ નામનો એક શ્રાવક મિત્ર હતો. એકદા ઘનાકાંક્ષી જિનદેવ ઘન ઉપાર્જન કરવાના હેતુથી દેશાંતર જવા તૈયાર થયો; તે વખતે તેણે પોતાના મિત્ર સોમચંદ્રને પોતાનું ઘન સાત ક્ષેત્રમાં વાપરવા માટે આપ્યું. તેના ગયા પછી સોમચંદ્ર મિત્રના કહેવા પ્રમાણે તેનું દ્રવ્ય સાત ક્ષેત્રમાં ખચ્યું. તે જ પુરમાં શ્રીદેવીની એક બહેનપણી ભદ્રા નામની હતી. તેનો પતિ કોઈક કર્મથી કુષ્ઠી થયો. તે વાત ભદ્રાએ એક વખત પોતાની સખી શ્રીદેવીને કહી. ત્યારે શ્રીદેવીએ હાસ્ય કરીને કહ્યું કે “હે સખી! તારા સંગથી તારો પતિ કુષ્ઠી થયો.” તે સાંભળીને ભદ્રા પોતાના મનમાં અતિ દુ:ખી થઈ. તે જાણીને થોડી વારે શ્રીદેવી બોલી કે “હે સખી! ખેદ ન કરીશ, મેં તો તને મશ્કરીમાં કહ્યું છે.” એમ કહીને તેણે ભદ્રાને આનંદિત કરી. પછી સાધુના સંગથી તમે દંપતી શ્રાદ્ધઘર્મ પામી તેનું પાલન કરી સમાધિ વડે કાળ કરીને સૌઘર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં ઍવીને સોમચંદ્રનો જીવ તું રાજા થયો, અને શ્રીદેવીનો જીવ ગૈલોક્યસુંદરી થયો. તે પૂર્વભવે પદ્રવ્યથી પુણ્ય ઉપાર્જન કર્યું હતું તેથી આ ભવમાં ભાડા વડે તું રાજપુત્રીને પરણ્યો, અને આ રૈલોક્યસુંદરીએ હાસ્યથી પણ સખીને કલંક આપ્યું હતું, તેથી આ ભવે કલંક પ્રાપ્ત થયું.” આ પ્રમાણે ગુરુના મુખથી પોતાનો પૂર્વભવ સાંભળીને વિરક્ત થયેલા તે દંપતીએ પોતાના પુત્રને રાજ્ય સોંપીને ગુરુ પાસે દીક્ષા લીધી. પછી અતિચાર રહિત ચારિત્રનું પાલન કરીને અંતે તે બન્ને કાળ કરીને બ્રહ્મ દેવલોકમાં દેવતા થયા. ત્યાંથી વીને અનુક્રમે અવ્યય, અજર, અભય અને સમગ્ર આત્મસંપત્તિના આવિર્ભાવરૂપ મોક્ષપદને પામશે. વ્યાખ્યાન ૩પ૭ ગુરુ પટ્ટાવળી षट्त्रिंशद्गुणरत्नाढ्यः, सौधर्मादिपरंपरः । गुरुपट्टक्रमो ध्येयः, सुरासुरनरैः स्तुतः॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy