SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૫૪] કુઘર્મનો ત્યાગ કર્તવ્ય ૨૪૫ છળના બળથી શાંબ નવાણું સ્ત્રીઓનો પતિ થયો. સર્વે યાદવો શાંબ તથા પ્રદ્યુમ્રને સર્વોત્કૃષ્ટ માનવા લાગ્યા. એકદા કોઈ રાજાએ શ્રીકૃષ્ણને એક જાતવાન અશ્વ ભેટ તરીકે મોકલ્યો. તે વખતે શાંબ અને પાલક એ બે પુત્રોએ આવીને પિતા પાસે તે અશ્વની માગણી કરી; એટલે કણે કહ્યું કે “કાલે તમારા બેમાંથી જે શ્રી નેમિનાથને પ્રથમ વંદના કરશે તેને આ અશ્વ હું આપીશ.” પછી પાલકકુમારે તો રાત્રિના પાછલે પહોરે ઊઠીને મોટેથી શબ્દ કરીને પોતાના મૃત્યોનો ઉઠાડ્યા, અને તેમને તૈયાર કરી સાથે લઈને પ્રાતઃકાળ થતાં સૌથી પ્રથમ જઈને પ્રભુને વંદના કરી. પછી ત્યાંથી પાછા આવીને પિતાને તે વાત કરીને અશ્વ માગ્યો. ત્યારે કૃષ્ણ કહ્યું કે “પ્રભુને પૂછીને પછી આપીશ.” અહીં મધ્યરાત્રિ ગયા પછી શાંબ જાગ્યો હતો; પણ તે પાપભીરુ હોવાથી પોતાને સ્થાને જ રહીને ભગવાનનું ધ્યાન કરી તેને નમ્યો. પ્રાતઃકાળે સમય થતાં સર્વે પ્રભુના સમવસરણમાં ગયા. પ્રભુને વંદના કરીને કૃષ્ણ પૂછ્યું કે “હે સ્વામી! આજે આપને પ્રથમ કોણે વંદના કરી?” પ્રભુ બોલ્યા કે “આજે દ્રવ્યવંદનથી પાલક કુમારે પ્રથમ અમને વાંદ્યા હતા અને શાંબકુમારે ભાવવંદનથી પ્રથમ વાંદ્યા હતા.” તે સાંભળીને કૃષ્ણ શાંબકુમારને તે અશ્વ આપ્યો. અન્યદા પ્રભુની દેશનાથી પ્રતિબોધ પામીને શાંબ તથા પ્રદ્યુમ્ર દીક્ષા ગ્રહણ કરી અને અનુક્રમે ગિરનાર પર્વત ઉપર મુક્તિ પામ્યા. શાંબે પ્રભુનું આંતરધ્યાન કર્યું તેથી તે વંદનનું ફળ પામ્યો, અને પાલકે સાક્ષાત્ પ્રભુને વાંદ્યા છતાં પણ તે ફળ પામ્યો નહીં, માટે પંડિત પુરુષો બાહ્ય વિધિ કરતાં આત્યંતર વિધિને બળવાન માને છે.” વ્યાખ્યાન ૩પ૪ કુધર્મનો ત્યાગ કર્તવ્ય चिल्लणया बहूपायैः, स्वस्वामी प्रतिबोधितः । समानधर्मश्रद्धाभि-दंपतीत्वं च शोभते ॥१॥ ભાવાર્થ-“ચેલણા રાણીએ ઘણા ઉપાયથી પોતાના સ્વામીને પ્રતિબોઘ પમાડ્યો હતો, કેમકે સમાન ઘર્મની શ્રદ્ધાથી જ દંપતીપણું શોભે છે.” - શ્રેણિક રાજાની કથા. રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. તે બૌદ્ધઘર્મનો રાગી હોવાથી બૌદ્ધ સાઘુઓની નિરંતર ઉપાસના કરતો, હમેશાં બૌદ્ધાલયમાં જઈને શ્રદ્ધાપૂર્વક તેનો ઘર્મોપદેશ સાંભળતો, અને પછી ઘેર આવીને પોતાની ચેલણા રાણી પાસે બૌદ્ધઘર્મની નિત્ય પ્રશંસા કરતો. બૌદ્ધગુરુએ પોતાના શિષ્યવર્ગને એવું સમજાવી રાખ્યું હતું કે “જ્યારે હું પ્રભાત સમયે પ્રચ્છન્ન ભૂમિગૃહ (ભોંયરા)માં જઈને બેસું, ત્યારે મારા દર્શન માટે આવેલા રાજાદિક પ્રત્યે તમારે કહેવું કેગુરુ તો હમેશાં ઇન્દ્રાદિકને ઉપદેશ કરવા માટે સ્વર્ગમાં જાય છે, અને પાછા ત્યાંથી અહીં આવે છે.” ૧ સિદ્ધાચળ ઉપર ભાડવા ડુંગરે સાડા આઠ કરોડ મુનિ સાથે ફાગણ સુદી તેરસે સિદ્ધિપદ પામ્યાનો શત્રુંજય માહાભ્યાદિકમાં ઉલ્લેખ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy