SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૫૦] ત્રીજા પ્રત્યેકબુદ્ધ નગ્નતિ ૨૨૯ हितबुद्ध्या तु या शिक्षा, सा निंदा नाभिधीयते । अत एव च सान्यस्य, कुप्यतोऽपि प्रदीयते ॥२॥ ભાવાર્થ-“હિતબુદ્ધિથી જે શિખામણ આપવી તે નિંદા કહેવાતી નથી, માટે તેવી શિક્ષા સામો માણસ કોપ કરે તો પણ આપવી.” આગમમાં પણ કહ્યું છે કે रुसउ वा परो मा वा, विसं वा परिअत्तओ । भासिअव्वा हिआ भासा, सपक्खगुणकारिया ॥१॥ ભાવાર્થ-“સામો માણસ કોપ કરો અથવા ન કરો અથવા તો વિષ જેવી કડવી લાગી; પરંતુ શત્રુને પણ ગુણ કરે તેવી હિતકારી ભાષા બોલવી.” આ પ્રમાણે શ્રી કરકંડ મુનિએ ઉપદેશ આપ્યો, તે ત્રણ મુનિઓએ હર્ષથી અંગીકાર કર્યો અને કરકંડ મુનિ શરીર ખણવાની વસ્તુનો ત્રિવિશે ત્રિવિધે ત્યાગ કરીને સંપૂર્ણ નિઃસ્પૃહી થયા. ત્યારથી ખરજ આવે તે વખતે પણ તેને ખણવારૂપ તેનો સત્કાર તજી દીઘો. દ્વિમુખ મુનિએ વિચાર્યું કે “મેં સાધુ થઈને પણ કરકંડ મુનિને ખજવાળતાં જોઈ તેની નિંદા કરી, તે મેં યોગ્ય કર્યું નહીં; માટે આજથી મારે સમતા જ રાખવી.” આ પ્રમાણે સર્વે મુનિઓએ પોતપોતાના વચનને શામ્ય રહિત અયોગ્ય માનીને વિશેષ સમતા ઘારણ કરી. પછી તેઓએ યથારુચિ ત્યાંથી વિહાર કર્યો. છેવટે તે ચારે સાથે જ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. આ પ્રમાણે સમગુણથી શોભતા ચારે પ્રત્યેકબુદ્ધોનું સંપ્રદાયને અનુસાર ટૂંકું ચરિત્ર અહીં લખ્યું છે. વ્યાખ્યાન ૩૫૦ ત્રીજા પ્રત્યેકબુદ્ધ નગ્નતિ अथ नग्गतिसंज्ञस्य, संबुद्धस्याम्रपादपात् । तुर्यप्रत्येकबुद्धस्य, कथां वक्ष्यामि तद्यथा ॥१॥ ભાવાર્થ-હવે આમ્રવૃક્ષને જોઈને બોઘ પામેલા નગ્નતિ નામના ચોથા પ્રત્યેકબુદ્ધની કથા કહેવામાં આવે છે, તે આ પ્રમાણે નમ્નતિ રાજાની કથા ગાંધાર દેશમાં સિંહરથ નામે રાજા હતો. તેને એકદા વિપરીત શીખવેલા બે ઘોડાઓ ભેટમાં આવ્યા. તે અશ્વની ગતિની પરીક્ષા કરવા માટે એક અશ્વ પર ચડીને રાજા ક્રીડા કરવા ગયો. તે વિપરીત શિક્ષા પામેલો અશ્વ નદીના પૂરની જેમ દોડતો બાર યોજન દૂર નીકળી ગયો અને એક મહારણ્યમાં રાજાને લાવી મૂક્યો. રાજાએ તે અશ્વની લગામ ખેંચી ખેંચીને શ્રાંત થવાથી તેને મૂકી દીઘી, એટલે તરત જ તે અશ્વ ત્યાં ઊભો રહ્યો. પછી રાજાએ નીચે ઊતરીને અશ્વને વૃક્ષ સાથે બાંથી ફળાદિકથી પ્રાણવૃત્તિ કરી. પછી રાત્રિયાસો કરવા માટે તે પાસેના પર્વત પર ચડ્યો. ત્યાં એક સાત માળનું મંદિર જોઈને રાજા તેમાં પેઠો. તે મહેલમાં એક મૃગ સરખાં નેત્રવાળી કન્યા તેના જોવામાં આવી. તે કન્યાએ રાજાને જોઈને તરત ઊભા થઈ તેને આસન આપ્યું. પછી રાજાએ તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy