SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૪૪] સંસારની અસારતા ૨૦૧ ગામના રહીશ કોઈ ચોરે બીજા ગામમાં જઈને ચોરી કરી. તે ચોરને પગલે પગલે ગામના રક્ષકો તે ચોરના ગામ સુધી આવ્યા. પછી આ ગામમાં બઘા ચોર જ વસે છે, એમ નિશ્ચય થવાથી તેમણે તે ગામના દરવાજા બંઘ કરીને ચોતરફથી અગ્નિ સળગાવ્યો. તે દિવસે પેલો કુંભાર કાર્ય માટે બીજે ગામ ગયો હતો. તેથી તેના વિના બીજા સર્વે મૃત્યુ પામ્યા. ત્યાંથી મરીને તે સર્વે અરણ્યમાં ચુડેલના ગુચ્છરૂપે ઉત્પન્ન થયા. ત્યાં સર્વે એકત્ર થઈને પડેલા હતા, તેવામાં કોઈ હસ્તીએ આવીને તેમને પગ વડે ચાંપી નાંખ્યા. તેથી મરણ પામીને તેઓએ અનેક કુયોનિમાં ચિરકાળ સુધી પરિભ્રમણ કર્યું. છેવટે આ ભવના આગલા ભવમાં કાંઈક પુણ્ય ઉપાર્જન કર્યું, તેના પ્રભાવથી તે સાઠ હજાર ચક્રીના પુત્ર થયા. પરંતુ પૂર્વે કરેલા પાપકર્મના કાંઈક અવશેષ રહેવાથી તેઓ એક સાથે જ મરણ પામ્યા. પેલો જે કુંભાર હતો તેનો જીવ અનેક ભવો ફરીને આ તું ભગીરથ થયો છે.” આ પ્રમાણે જહુકમારાદિનો તથા પોતાના પૂર્વભવ સાંભળીને ભગીરથે પ્રતિબોઘ પામી શ્રાવકધર્મ અંગીકાર કર્યો. તેનું પ્રતિપાલન કરીને અનુક્રમે તે સદ્ગતિને પામ્યો. ત્રણ લોકને ભયંકર એવો યમરૂપી રાક્ષસ આ અનાથ જગતને હણવા માટે નિરંતર ઇચ્છા કર્યા કરે છે. તેથી તેના ભયના નિવારણ માટે સર્વદા અશરણ ભાવના ભાવવી, કે જેથી સુખના સ્થાનરૂપ વૈરાગ્યની પ્રાપ્તિ થાય.” વ્યાખ્યાન ૩૪૪ સંસારની અસારતા संसारासारतां वीक्ष्य, केचित्सुलभबोधिनः । शीघ्रं गृह्णन्ति साम्यत्वं, श्रीदत्तश्रेष्ठिवद्यथा ॥१॥ ભાવાર્થ-“કેટલાક સુલભબોથી જીવો સંસારની અસારતાને જોઈને શ્રીદત્ત શ્રેષ્ઠીની જેમ તત્કાળ સમતાને ઘારણ કરે છે. તે કથા આ પ્રમાણે - શ્રીદત્ત શ્રેષ્ઠીની કથા મંદિરપુરમાં સૂરકાંત નામે રાજા હતો. તે ગામમાં સોમ શ્રેષ્ઠી નામે નગરશેઠ હતો. તે રાજાનો માનીતો હતો. તેને સોમશ્રી નામની પત્ની હતી. તેનાથી ઉત્પન્ન થયેલો શ્રીદત્ત નામે તેમને પુત્ર હતો. એકદા સોમશ્રેષ્ઠી પોતાની ભાર્યા સાથે વનમાં ક્રીડા કરવા ગયો હતો. ત્યાં પાછળથી સૂરકાંત રાજા પણ આવ્યો. રાજા સોમશ્રીને જોઈને તેના પર આસક્ત થયો. તેથી તેને બળાત્કારથી લઈ જઈને પોતાના અંતઃપુરમાં રાખી. સોમશ્રેષ્ઠી પ્રિયાના વિરહથી પારાવાર ખેદ પામીને ઘેર આવ્યો. પછી તેણે પ્રઘાનમંડળ પાસે તે વૃત્તાંત કહી રાજાને સમજાવવાનું કહ્યું. તે પ્રઘાનોએ પણ રાજાને ઘણી રીતે સમજાવ્યો, પરંતુ રાજાએ માન્યું નહીં. તેથી પ્રઘાનોએ આવીને શેઠને કહ્યું કે माता यदि विषं दद्यात्, पिता विक्रयते सुतम् । राजा हरति सर्वस्वं, का तत्र प्रतिवेदना ॥१॥ ૧ માતૃવાહક નામના બેઇંદ્રિય જીવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy