SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ સમનય વ્યાખ્યાન ૩૩૭] ૧૭પ પુણ્ય કર્યું નથી, જેથી આ ભવે સ્વપ્નમાં પણ સુખ જોયું નહીં; માટે દીક્ષા ગ્રહણ કરીએ.” એમ વિચારીને તે સાતે બ્રાહ્મણના પુત્રોએ ચારિત્ર લીધું. ત્યાંથી મૃત્યુ પામીને દેવ થઈ ત્યાંથી ચ્યવી તે સાતે તારા પુત્રો થયા છે; અને સૌથી નાનો જે આઠમો પુત્ર છે તે પૂર્વભવે વૈતાઢ્ય પર્વત ઉપર ક્ષુલ્લક નામે વિદ્યાઘર હતો, તે શાશ્વત જિનપ્રતિમાની પૂજા કરીને તે પૂજાના પ્રભાવથી સૌઘર્મ દેવલોકમાં ગયો. ત્યાંથી ચ્યવીને આ તારો આઠમો પુત્ર થયો છે. તેને તેં બારીમાંથી નાંખી દીધો હતો, પણ તેને અદ્ધરથી જ ક્ષેત્રદેવતાએ લઈ લીધો હતો. વળી તારી આ ચાર પુત્રીઓ છે તેનો વૃત્તાંત એવો છે કે–વૈતાઢ્ય પર્વત પર કોઈ વિદ્યાઘરને ચાર પુત્રીઓ હતી. તેઓએ એકદા જ્ઞાની ગુરુને પૂછ્યું કે “હે પૂજ્ય! અમારું આયુષ્ય હવે કેટલું બાકી છે?” ગુરુ બોલ્યા કે “તમારું આયુષ્ય ઘણું થોડું બાકી છે; પરંતુ તમારું ચારેનું એક જ વખતે મૃત્યુ થશે.” તે સાંભળીને તેઓ બોલી કે “થોડા આયુષ્યમાં અમે શું પુણ્ય કરીએ?” ગુરુ બોલ્યા કે “અંતર્મુહૂર્ત માત્ર પણ કરેલું પુણ્ય નિષ્ફળ થતું નથી, તો તમોને પણ મોટું ફળ મળશે; માટે તમે પંચમી તપનું આરાધન કરો.” તે સાંભળીને તે ચારેએ જીવન પર્યંત પંચમીનું તપ અંગીકાર કર્યું. પછી ગુરુએ કહ્યું કે “આજે જ શુક્લ પક્ષની પંચમી છે.” તે સાંભળીને તે ચારેયે ઉપવાસનું પચખાણ કરી ઘેર જઈને દેવપૂજાદિક ઘર્મક્રિયા કરી. રાત્રે એક સાથે મળીને ઘર્મજાગરણ કરવા લાગી. તે પ્રસંગે “આ તપ પૂર્ણ થયે આપણે મોટું ઉદ્યાપન કરીશું' એવો તે ચારે વિચાર કરતી હતી, તેવામાં અકસ્માત્ તે ચારેના મસ્તકપર વીજળી પડી; તેથી મૃત્યુ પામીને તપના પ્રભાવથી તે સ્વર્ગે ગઈ. ત્યાંથી ચ્યવીને તે ચારે આ તારી પુત્રીઓ થઈ છે.” આ પ્રમાણે ગુરુના મુખથી સાંભળીને અશોકરાજા વગેરે સર્વે સંદેહ રહિત થઈ શ્રાવકઘર્મ અંગીકાર કરીને પોતાને ઘેર ગયા. પછી કેટલેક કાળે શ્રી વાસુપૂજ્ય સ્વામી પાસે જ રાજા રાણી વગેરેએ દીક્ષા ગ્રહણ કરી અને ઉગ્ર તપ વડે કર્મનો ક્ષય કરી, કેવળજ્ઞાનરૂપ અક્ષય ભંડાર મેળવીને મોક્ષપદને પામ્યા. હે ભવ્ય પ્રાણીઓ! શ્રી વાસુપૂજ્ય સ્વામીની સ્તુતિ વડે, પૂજન વડે અને ત્રિકાળ દેવવંદન વડે રોહિણી તપમાં યત્ન કરીને તમે મહાપુણ્યને ઉપાર્જન કરો.” વ્યાખ્યાન ૩૩૮ સમય धावन्तोऽपि नयाः सर्वे, स्युर्भावे कृतविश्रमाः । चारित्रगुणलीनः स्यादिति सर्वनयाश्रितः॥१॥ ભાવાર્થ-“સર્વે નયો પોતપોતાના પક્ષનું સ્થાપન કરવા માટે દોડે છે, તો પણ તે સર્વે ભાવમાં એટલે શુદ્ધ આત્મધર્મમાં વિશ્રામ પામે છે અર્થાત્ સ્થિર થાય છે, તેથી મુનિરાજ પણ સર્વ નયનો આશ્રય કરીને ચારિત્ર ગુણમાં લીન થાય છે.” ચારિત્રને અર્થ એવો છે કે–ચય એટલે આઠ કર્મનો સંચય, તેને રિક્ત” એટલે ખાલી કરવું અર્થાત્ કર્મ રહિત થવું તે “ચારિત્ર' કહેવાય છે. તે ચારિત્રરૂપ ગુણમાં લીન થવું–વઘતા પર્યાયવાળા થવું. તેની અંદર સર્વ નયનો આશ્રય એવી રીતે થાય છે કે–દ્રવ્યનયને કારણપણે ગ્રહણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy