SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૩૨] ૧૫૯ પ્રબોધ ચિંતામણિમાં સ્મૃતિને અનુસરનારા સ્માર્નોને શિક્ષાવચન કહ્યું છે કે “વેદના મંત્રો શક્તિવાળા છે એમ જો બ્રાહ્મણો કહેતા હોય તો હણવાનો વ્યાપાર કર્યા વિના જ માત્ર મંત્ર બોલવાથી જ બકરાઓના પ્રાણ જવા જોઈએ. જો વેદના મંત્રોની શક્તિ વિષે કાંઈ પણ પ્રમાણ હોય તો હણાતા બકરાઓને વેદના ન થવી જોઈએ. જો વેદના મંત્રોની અતિશયવાળી શક્તિ હોય તો શાંતિને માટે હોમેલા વાઘથી દેવતાઓ કેમ પ્રસન્ન થતા નથી? વળી વેદના મંત્રોથી પરણેલી સ્ત્રીઓને વિધવા થયેલી જોઈને પંડિત પુરુષ વેદની નિર્દોષતા શી રીતે કહેશે? પંચેંદ્રિય પ્રાણીનો વઘ કરતાં પણ જેઓનું મન શંકા પામતું નથી તેઓને કુંથુવા, પુરા વગેરે ઝીણા જીવોની હિંસા કરતાં તો ક્યાંથી જ દયા આવશે? જેઓનો હિંસા એ ધર્મ છે, જળ તીર્થ છે, ગાય પૂજ્ય છે, ગુરુ ગૃહસ્થાશ્રમી છે, અગ્નિ દેવ છે અને બ્રાહ્મણ પાત્ર છે તેઓને શું કહેવું?’’ યજ્ઞ શ્રી ધનપાળ પંડિતે દ્રવ્યયાગની શ્લાઘા પણ કરી નહોતી. તે વિષે એવી કથા છે કે—શ્રી ભોજરાજાએ યજ્ઞમાં વધ કરવા માટે એક બોકડો આણ્યો હતો, તે બોકડો બેં બેં શબ્દ કરતો હતો. તે જોઈને બીજા સર્વ પંડિતોએ યજ્ઞની શ્લાઘા કરી. ત્યારે રાજાએ ઘનપાળ પંડિતને કહ્યું કે “તું પણ બુદ્ધિ અનુસાર યજ્ઞની સ્તુતિ કર.’’ તે સાંભળીને શ્રાવકધર્મ પાળનાર ઘનપાળ પંડિતે કહ્યું કે ૢ રાજન્! આ બકરો તમને એમ કહે છે કે– नाहं स्वर्गफलोपभोगरसिको नाभ्यर्थितस्त्वं मया । संतुष्टस्तृणभक्षणेन सततं साधो न युक्तं तव ॥ स्वर्गे यान्ति यदि त्वया विनिहता यज्ञे ध्रुवं प्राणिनो । यज्ञं किं न करोषि मातृपितृभिः पुत्रैस्तथा बान्धवैः ॥ १ ॥ ભાવાર્થ-હું સ્વર્ગફળના ઉપભોગમાં રસિક નથી, મેં કાંઈ તમારી પાસે તેની યાચના કરી નથી, હું તો તૃણનું ભક્ષણ કરીને નિરંતર સંતુષ્ટ છું; માટે હે ભલા માણસ! તમારે મને મારવો યોગ્ય નથી. જો કદાચ યજ્ઞમાં હણેલા પ્રાણીઓ સ્વર્ગમાં જ જતા હોય, તો તમે માતા, પિતા, પુત્ર અને બાંધવાદિક વડે કેમ યજ્ઞ કરતા નથી?’’ આ શ્લોક સાંભળીને રાજાને ક્રોધ ચઢ્યો. પણ ફરી સમય પામીને ઘનપાળ પંડિતે તેને પ્રસન્ન કર્યા; પરંતુ પોતાના વ્રતનિયમનો ભંગ કર્યો નહીં. આ પ્રસંગ ઉપર એક બીજો પણ સંબંધ છે. તે નીચે પ્રમાણે– Jain Education International વિગુપ્ત બ્રાહ્મણની કથા અવન્તિ નગરીમાં રવિગુપ્ત નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે હમેશાં વેદશાસ્ત્રની યુક્તિથી લોકોની પાસે યજ્ઞધર્મનો ઉપદેશ કરતો હતો અને કહેતો કે “વેદમાં કહેલી હિંસા કરવાથી દોષ નથી, પણ ઊલટું યજ્ઞાચાર્યને, યજ્ઞ કરનારને તથા હોમેલા બકરા વગેરેને મોટું ફળ પ્રાપ્ત થાય છે.’’ ઇત્યાદિ ઉપદેશ કરતો તે આયુષ્ય પૂર્ણ થતાં મરણ પામીને ત્રીજી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી નીકળ્યા પછી અનંત કાળ સુધી ભવભ્રમણ કરીને કાંપિલ્યપુરમાં વામદેવ નામે બ્રાહ્મણ થયો. ત્યાં પણ અશ્વમેઘાદિક યજ્ઞોનો ઉપદેશ કરવા લાગ્યો, તથા ૨ાત્રીભોજન વગેરે બાવીશે અભક્ષ્યનું ભક્ષણ કરવા લાગ્યો. તેને સુમિત્ર નામે શ્રાવક મિત્ર થયો હતો. તે સુમિત્ર તેને નિરંતર શિખામણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy