SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૨૫] કર્મનાં ફળ ૧૩૯ શંકરે પોતાની સ્થિતિ કહી બતાવી. ત્યારે શનિ બોલ્યો કે “હું કાંઈ લાકડી લઈને કોઈને મારતો નથી, પણ તેવા પ્રકારની બુદ્ધિ આપું છું કે જેથી પોતાની જાતે જ તે દુઃખમાં પડે છે. તમે ત્રણ દિવસ સુધી અશુચિમય ખાળમાં રહ્યા, તેથી વઘારે કયું દુ:ખ? માટે હું જ લોકોને દુઃખાદિક આપું છું, પણ તે કર્મની પ્રેરણાથી જ આપું છું.” તે સાંભળી શિવ બોલ્યા કે “એ વાત સત્ય છે કે જીવો કર્મથી જ કરેલાં સુખદુઃખને પામે છે.” પછી સર્વ દેવોએ “તર્મ શો નાસ્તિ’ એટલે કરેલાં કર્મનો ભોગવ્યા વિના નાશ થતો નથી, એમ અંગીકાર કર્યું. આ પ્રમાણે શ્રી ગુરુના મુખથી કર્મવિપાકનું સ્વરૂપ સાંભળીને તે કદંબ વિપ્ર બોલ્યો કે “જો મને પણ આ રોગની શાંતિ થાય તો હું પણ ગુરુ જેવો થાઉં.” ત્યારે ગુરુ બોલ્યા કે “સર્વ ઔષઘો મૂકીને એક નવકાર મંત્રને જ છ માસ સુધી ગણ્યા કર; તારે બીજું કાંઈ પણ ધ્યાન કરવું નહીં.” કદંબે ગુરુના કહેવાથી નવકારનું જ ધ્યાન કરવા માંડ્યું. તેથી તેનો કુષ્ઠ વ્યાધિ નાશ પામ્યો, એટલે તે ઉત્તમ શ્રાવક થયો. પછી સર્વ દ્રવ્યનો સન્માર્ગે વ્યય કરી ચારિત્ર લઈને અનુક્રમે સ્વર્ગે ગયો. મિથ્યાત્વાદિક હેતુએ કરીને પોતે કરેલું કર્મ દારુણ વિપાકને આપે છે, એમ સાંભળીને કદંબા બ્રાહ્મણ પોતાના સ્વરૂપને પામ્યો. તેવી રીતે બીજાઓએ પણ પ્રવર્તવું.” વ્યાખ્યાન ૩૨૫ કર્મના ફળ स्वात्मनोच्छृखलेनात्तं, तद्भुक्त्या कर्म हीयते । अक्षयत्वमहो एकं, ढंढणर्षिकुमारवत् ॥१॥ ભાવાર્થ-“અહો! ઢંઢણઋષિ કુમારની જેમ પોતે જ ઉદ્ધતપણાથી બાંધેલું ક્ષય ન થાય તેવું કર્મ તેનું ફળ ભોગવ્યાથી જ ક્ષય પામે છે.” તેમનું દ્રષ્ટાંત આ પ્રમાણે– ઢઢણઋષિ કુમારની કથા કુબેરે બનાવેલી દ્વારિકાનગરીમાં શ્રી કૃષ્ણ વાસુદેવ બળભદ્રની સાથે રાજ્ય કરતા હતા. તે વાસુદેવને ઢંઢણા નામે એક રાણી હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલો ઢંઢણ નામનો કુમાર હતો. તે યુવાવસ્થાને પામ્યો, એટલે તેને કૃષ્ણવાસુદેવે મોટા ઉત્સવથી સૌન્દર્યમાં દેવકન્યાનો પણ તિરસ્કાર કરે તેવી ઘણી રાજકન્યાઓ પરણાવી, તેની સાથે ઢંઢણકુમાર પંચેન્દ્રિય સંબંધી સુખભોગ ભોગવવા લાગ્યો. એકદા તે નગરીમાં શ્રી નેમિનાથ પ્રભુ સમવસર્યા. વનપાળના મુખથી તે ખબર સાંભળીને પ્રભુને વાંદવા માટે સર્વ પરિવાર સહિત શ્રી કૃષ્ણ ઢંઢણકુમારને સાથે લઈને ગયા. સમવસરણ નજીક આવ્યા એટલે રાજ્ય સંબંધી પાંચ ચિહ્નોનો ત્યાગ કરીને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક સ્વામીને વંદના કરી, અને વિનયથી નમ્ર દેહ રાખીને ભગવાનની પાસે બેઠા. પછી સ્વામીએ સર્વ પ્રાણીઓની ભાષાને અનુસરતી વાણી વડે દેશના આપી. તે સાંભળીને જેને સંવેગ ઉત્પન્ન થયો છે એવા ઢંઢણકુમારે મહા પ્રયત્ન માતાપિતાની આજ્ઞા મેળવી ભગવંતની પાસે દીક્ષા લીધી. પછી ભગવાનની પાસે ગ્રહણા અને આસેવના નામની બે પ્રકારની શિક્ષા શીખતાં તેમણે સાંભળ્યું કે “મુનિએ છ કારણે આહાર લેવો. તે આ પ્રમાણે– ૧ ખગ, છત્ર, મોજડી, મુકુટ ને ચામર આ પાંચ રાજચિહ્નો જાણવાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy