SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ વ્યાખ્યાન ૩૦૯] ઇન્દ્રિયોનું સ્વરૂપ વ્યાખ્યાન ૩૦૯ ઇન્દ્રિયોનું સ્વરૂપ आत्मानं विषयैः पाशैर्भववासपराङ्मुखम् । इन्द्रियाणि निबध्नन्ति, मोहराजस्य किंकराः॥१॥ ભાવાર્થ-“ભવવાસથી એટલે સંસારમાં રહેવાથી પરામુખ થયેલા એવા ઉદ્વિગ્ન વૈરાગી આત્માને પણ મોહરાજાના કિંકર રૂપ ઇન્દ્રિયો વિષય રૂપી પાશ વડે બાંધી લે છે, અને તેને પાછા સંસારમાં ભમાવે છે.” તે ઉપર સુકુમારિકાનો પ્રબંઘ છે તે આ પ્રમાણે– સુકુમારિકા સાધ્વીની કથા વસંતપુરના રાજાના સસક અને ભસક નામના પુત્રોએ વૈરાગ્યથી દીક્ષા લીધી. અનુક્રમે તેઓ ગીતાર્થ થયા. પછી તેમણે પોતાની બહેન સુકુમારિકાને પ્રતિબોધ પમાડી દીક્ષા આપી. તે સુકુમારિકા અત્યંત સ્વરૂપવાન હોવાથી અનેક યુવાન પુરુષોનાં ચિત્તનું આકર્ષણ કરતી હતી. તેથી તે યુવાન પુરુષો સાથ્વીના ઉપાશ્રયમાં પ્રવેશ કરીને સુકુમારિકાના રૂપને રાગદ્રષ્ટિથી જોતા હતા. તે ઉપદ્રવનો વૃત્તાંત મહત્તરા સાધ્વીએ તેના ભાઈઓને કહ્યો. એટલે તેઓ સુકુમારિકાને એક જુદા મકાનમાં રાખીને તેની રક્ષા કરવા લાગ્યા. સુકુમારિકાને ગુપ્ત રાખેલી જાણીને યુવાન પુરુષોએ તે બન્ને ભાઈઓની સાથે યુદ્ધ કરવા માંડ્યું. તે જોઈને સુકુમારિકાને વિચાર થયો કે, “મારા માટે મારા ભાઈઓ મોટો ક્લેશ પામે છે; માટે અનર્થ કરનારા એવા આ મારા શરીરને ધિક્કાર છે!” ઇત્યાદિ વિચાર કરીને વૈરાગ્યથી તેણે અનશન ગ્રહણ કર્યું. તેથી કેટલેક દિવસે તેનું શરીર એટલું બધું ક્ષીણ થઈ ગયું કે તેના ભાઈઓએ અતિશય મોહના વશથી તેને મૃત્યુ પામેલી જાણી. એટલે તે બન્નેએ ગામ બહાર તેને અરણ્યમાં પરઠવી દીધી. ત્યાં શીતળ વાયુના સ્પર્શથી તે ભાનમાં આવી. તેવામાં કોઈ સાર્થવાહે તેને જોઈ. એટલે “આ કોઈ સ્ત્રીરત્ન છે' એમ જાણી તે તેને પોતાના મુકામમાં લઈ ગયો. પછી અભંગ, ઉદ્વર્તન તથા ઔષઘ વગેરે કરીને તેણે તેને અનુક્રમે પૂર્વની જેમ સુંદર રૂપવતી કરી. પછી સુકુમારિકા તે પ્રકારની ભવિતવ્યતાથી અને કર્મની વિચિત્રતાને લીઘે “આ સાર્થવાહ મારો અનુપમ ઉપકારી અને વત્સલ છે' એમ માનવા લાગી. તેથી સાર્થવાહના કહેવા પ્રમાણે તેની સ્ત્રી થઈને કેટલોક કાળ તેને ઘેર રહી. એકદા તેણે પોતાના બન્ને ભાઈઓ (મુનિ)ને જોયા. એટલે તેમને વંદના કરીને તેણે પોતાનો સર્વ વૃત્તાન્ત નિવેદન કર્યો. તે સાંભળીને તેઓએ સાર્થવાહ પાસેથી તેને છોડાવીને ફરીથી પ્રતિબોધ આપ્યો કે सरित्सहस्रदुःपूर-समुद्रोदरसोदरः तृप्तौ नैवेन्द्रियग्रामो, भव तृप्तोऽन्तरात्मना ॥१॥ ભાવાર્થ-“હે ભવ્ય પ્રાણી! હજારો નદીઓના જળથી પણ જેનું ઉદર પૂર્ણ થતું નથી એવા સમુદ્રની જેવો ઇન્દ્રિયસમૂહ કદાપિ તૃતિ પામતો નથી. માટે અન્તરાત્માએ કરીને જ તું તૃપ્ત થા.” વિશેષાર્થ–“હે ભવ્ય! આ ઇન્દ્રિયો કોઈ પણ વખત તૃપ્ત થતી જ નથી. કેમકે નહીં ભોગવેલા ભોગની ઇચ્છા રહે છે, ભોગવતી વખતે તેમાં આસક્તિ રહે છે, અને ભોગવાયેલા ભોગનું સ્મરણ રહ્યા કરે છે. એટલે ત્રણે કાળમાં ઇન્દ્રિયોની અશુદ્ધ પ્રવૃત્તિ છે, અને ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy