SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ થી પ સાદ ભાષાનાર સંભ ૨૦) વ્યાખ્યાન ૨૮૬ તપાચારનો ચોથો-પાંચમો ભેદ–રસત્યાગ અને કાયક્લેશ હવે રસત્યાગ નામનો ચોથો તપાચારનો ભેદ વર્ણવે છે– विकृतिकृद्रसानां यत्त्यागो यत्र तपो हि तत् । गुर्वाज्ञां प्राप्य विकृति, गृह्णाति विधिपूर्वकम् ॥१॥ ભાવાર્થ–“વિકાર કરનારા રસોનો જે ત્યાગ કરવો તે રસત્યાગ નામનું તપ કહેવાય છે, તેમાં પણ ગુરુની આજ્ઞા લઈને વિધિપૂર્વક વિકૃતિ (વિગઇ) ગ્રહણ કરવી.” દૂઘ, દહીં, ઘી, તેલ, ગોળ તથા પક્વાન્ન વગેરે છ ભક્ષ્ય અને મઘ, માંસ, મદિરા તથા માખણ એ ચાર અભક્ષ્ય મળી દશ વિકૃતિ (રસ) કહેલા છે. તે સર્વ રસોનો અથવા તેમાંથી કેટલાકનો જીવન પર્યત અથવા અમુક વર્ષ સુધી, અથવા પર્વ તિથિ, છ માસ, ચાર માસ વગેરે અવઘિ રાખીને ત્યાગ કરવો; કેમકે તે સર્વે વિકારનાં કારણ છે. કોઈ વખત કારણને લઈને વિકૃતિ રસ લેવાની જરૂર પડે, તો મુનિએ ગુરુની આજ્ઞા લઈને વિધિપૂર્વક ગ્રહણ કરવા. તે વિષે શ્રી નિશીથ ચૂર્ણમાં કહ્યું છે કે "विणयपुव्वं गुरुं वंदिउण भणइ, इमेण कारणेण इमं विगई एवइ पमाणेणं इत्तियं कालं तुम्भेहिं अणुनाए भोत्तुमिच्छामि, एवं पुच्छिए अणुनाए पच्छा भिक्खं पविठ्ठो હi રોતિ.” એટલે વિનયપૂર્વક ગુરુને વાંદીને કહે કે, “અમુક કારણને લીધે આટલી પ્રમાણવાળી અમુક વિકૃતિને આટલા કાળ સુઘી આપની આજ્ઞાથી ખાવા ઇચ્છું છું. એમ પૂછી ગુરુની આજ્ઞા લઈને પછી ભિક્ષા માટે જાય, અને તે વિગય ગ્રહણ કરે.” રસત્યાગનો નિર્વાહ જીવનપર્યત થઈ શકે છે, અને ઉપવાસ વગેરે તો અમુક કાળપર્યત જ થઈ શકે છે; વળી ઉપવાસાદિક તો ઘણા લોકો કરે છે, અને રસત્યાગ તો તત્ત્વ જાણનારા જ કરે છે; તેથી ઉપવાસાદિક કરતાં પણ રસત્યાગનું અધિક ફળ છે, તેથી કરીને જ અનેક મુનિજનો વિકૃતિનો ત્યાગ કરે છે. શ્રી ઋષભસ્વામીની પુત્રી સુંદરીએ સાઠ હજાર વર્ષ સુધી આયંબિલ તપ કરીને સર્વ વિકૃતિનો ત્યાગ કર્યો હતો, તેમજ ઓગણીશમા પાટે શ્રી માનદેવસૂરિને જ્યારે સૂરિપદે સ્થાપન કર્યા તે સમયે તેના બન્ને ખભા ઉપર તેના નિઃસ્પૃહાદિક ગુણોથી પ્રસન્ન થયેલી સરસ્વતી તથા લક્ષ્મી દેવીને સાક્ષાત જોઈને “આ (માનદેવસૂરિ) કોઈ વખત ચારિત્રથી ભ્રષ્ટ થશે” એવી વિચારણાથી ગુરુનું ચિત્ત ખેદ પામ્યું. તે જાણીને માનદેવસૂરિએ રાગી શ્રાવકોના ઘરની ભિક્ષાનો તથા સર્વ વિકૃતિનો ત્યાગ કર્યો. તે તપના ભાગ ૫-૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy