SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૧ આવેલા છે. તે સાંભળી શાલિભદ્ર ઉત્સુક થઈ ગુરુ પાસે ગયો અને નમસ્કાર કરી અવગ્રહ ઘારીને બેઠો. તે સમયે મુનિરાજની દેશના આ પ્રમાણે સાંભળી– ज्ञानविज्ञानलावण्यरूपवर्णवपुर्बलं । क्षीयमाणं खलस्नेह इव याति दिने दिने ॥१॥ “જ્ઞાન, વિજ્ઞાન, લાવણ્ય, રૂપ, વર્ણ અને શરીરનું બળ ખળ પુરુષના સ્નેહની જેમ દિવસે દિવસે ક્ષય પામતું જાય છે.” આવી દેશના સાંભળી શાલિભદ્ર ગુરુને પૂછ્યું- હે ભગવન્! કેવાં કર્મ કરવાથી આપણી ઉપર બીજો સ્વામી ન થાય?” ગુરુ બોલ્યા- ભદ્ર! આ જિનદીક્ષાના પ્રભાવથી બીજા જન્મમાં પ્રાણી સર્વ જગતનો સ્વામી થાય છે.” શાલિભદ્રે કહ્યું-“પ્રભુ! જો તેમ હોય તો હું પણ ઘરે જઈ, મારી માતાની રજા લઈ, તમારી પાસે આવી વ્રત ગ્રહણ કરીશ.” ગુરુએ કહ્યું–‘વત્સ! પ્રમાદી થઈશ નહીં.” આ પ્રમાણે શિક્ષા આપેલા શાલિભદ્ર ઘેર આવી ભદ્રાને વિજ્ઞપ્તિ કરી–“માતા! આજે મેં શ્રી ઘર્મઘોષ મુનિના મુખથી અનાદિ દુઃખમાંથી છોડાવનાર અને પરમાનંદયુક્ત સ્વાભાવિક સુખને આપનાર શ્રી જિનઘર્મ સાંભળ્યો. આ સંસારમાં સારરૂપ તે જ છે, માટે તમારી આજ્ઞાથી હું દીક્ષા લઈશ.' માતા બોલી–“વત્સ! તને વ્રત લેવાની વાસના થઈ તે યુક્ત છે, પણ કેશનો લોચ, ભૂમિ ઉપર શયન, સુડતાળીશ દોષ રહિત આહાર, પંચ મહાવ્રતનો ભાર અને પરીષહો સહન કરવા-ઇત્યાદિ ક્રિયા કરવાને તું સમર્થ કેમ થઈશ?” શાલિભદ્ર કહ્યું–માતા! તેની ચિંતા ન કરે, ચિંતામણિરત્ન સમાન ચારિત્રરત્ન મને મળ્યું છે તેને હું કાગડાને ઉડાડવારૂપ ભોગવિલાસ માટે ફેંકી દઉં તો મારા જેવો મૂર્ખ બીજો કોણ કહેવાય? પણ હું તેમ કરીશ નહીં.” આવું પુત્રનું સામર્થ્ય જાણી ભદ્રાએ કહ્યું-વત્સ! જો વ્રત લેવાની ઇચ્છા હોય તો પ્રથમ થોડે થોડે પુષ્પશપ્યા, સ્ત્રીભોગ વગેરે તરતો જા, તેમ કરવાથી વ્રત પાળવાનો અભ્યાસ થશે.” આ પ્રમાણે માતાની આજ્ઞા સાંભળી શાલિભદ્ર હમેશાં એક સ્ત્રી સહિત એકેક પુષ્પશઠા તજવા માંડી. તે જ નગરમાં શાલિભદ્રની નાની બહેન સુભદ્રા ઘન્ય નામે શ્રેષ્ઠીને પરણાવેલી હતી. તે એક દિવસ પોતાના પતિને સ્નાન કરાવતી હતી. તે વખતે તેને પોતાના ભાઈના દીક્ષા લેવાના વિચારથી રડવું આવ્યું એટલે ઘન્યની પીઠ પર આંસુના ટીપાં પડ્યાં. ઘળે પૂછ્યું- હે સુભે! કેમ રુદન કરે છે?” તે ગદ્ગદ્ સ્વરે બોલી– નાથ! મારા ભાઈ શાલિભદ્ર વ્રત લેવાની ઇચ્છાથી દિવસે દિવસે એક એક શય્યા સાથે એકેક સ્ત્રી છોડે છે, તેથી મને દુઃખ લાગવાથી હું રુદન કરું છું.” તે સાંભળી ઘન્ય કહ્યું- તારો ભાઈ સત્ત્વહીન અને શિયાળની જેમ ભીરુ જણાય છે કે જેથી એક સાથે સર્વ વૈભવ છોડી શકતો નથી.” તેણે કહ્યું–સ્વામીનાથ! કહેવું સહેલું છે, પણ કરવું મુશ્કેલ છે. વૈભવ છોડી વ્રત લેવું જો સહેલું હોય તો તમે કેમ લેતા નથી?” આ પ્રમાણે ઘન્યને તેની બીજી સ્ત્રીઓએ પણ હાસ્યમાં કહ્યું, એટલે ઘન્ય બોલ્યો-“મારા પુણ્યથી જ તમે બધી મળીને મને અનુમતિ આપો છો, તેથી હું હવે સત્વર વ્રત ગ્રહણ કરીશ.” તે સાંભળી સ્ત્રીઓ બોલી–હે નાથ! અમે તો હાસ્યમાં કહેલું છે, તેથી રીસ ન કરો.” ઘન્ય બોલ્યો-“મને રસ નથી, પણ સ્ત્રી ઘન વગેરે સર્વ પદાર્થ અનિત્ય છે, તેથી તેને છોડી દઈને હું દીક્ષાનો આશ્રય કરીશ.” સ્ત્રીઓએ કહ્યું–“સ્વામી! ત્યારે અમે પણ તમારી સાથે દીક્ષા લઈશું.' ઘજે તેમનું વચન અંગીકાર કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy