SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૦ આવા અન્યાય કરનારને કેવળજ્ઞાન ક્યાંથી હોય? પણ એ બધું સામાયિકના તાંડવનો આડંબર જાણવો, અર્થાત્ સામાયિકનું ફળ જાણવું. કહ્યું છે કે प्रतिहंति क्षणार्द्धेन, साम्यमालंब्य कर्म तत् । यन्न हन्यान्नरस्तीव्रतपसा जन्मकोटीभिः ॥१॥ “પુરુષ કોટી જન્મ સુધી તીવ્ર તપસ્યા કરવા વડે જેટલા કર્મને હણી શકે નહીં, તેટલા કર્મને સમતામય સામાયિકનું આલંબન કરનાર પુરુષ અદ્ઘક્ષણમાં હણી શકે છે.'' તે સાંભળી રાજા પણ પ્રતિદિન સાત આઠ સામાયિક કરવાનો અભિગ્રહ લઈ ઘેર આવ્યો. કેશરી મુનિ જ્ઞાન વડે પૃથ્વી પર વિહાર કરી અનેક જીવોને પ્રતિબોધ પમાડી અનુક્રમે મુક્તિને પ્રાપ્ત થયા. “સાત વ્યસનમાં આસક્ત અને સર્વને સંતાપ કરનારા ચોરને પણ નિર્વાણ આપનારું સામાયિક હમેશાં પ્રાજ્ઞ પુરુષોએ સેવવું.’’ વ્યાખ્યાન ૧૪૫ બીજું શિક્ષાવ્રત દેશાવકાશિક दिखते परिमाणं यत्, तस्य संक्षेपणं पुनः । दिने रात्रौ च देशाव- काशिकव्रतमुच्यते ॥ १ ॥ ભાવાર્થ-‘છઠ્ઠા દિગ્વિરમણવ્રતમાં જે દિશાનું પરિમાણ કરેલું હોય તેનો દિવસે અથવા રાત્રિએ સંક્ષેપ કરવો તે દશમું દેશાવકાશિક વ્રત કહેવાય છે.’’ વિશેષાર્થ–પહેલા ગુણવ્રતમાં દશે દિશાઓમાં જવાનું પરિમાણ જે બાંધેલું હોય તેનો દિવસે અથવા રાત્રે ઉપલક્ષણથી પહોર વગેરે માટે જે સંક્ષેપ કરવો તે દેશ અને તેમાં અવકાશ એટલે અવસ્થાન તે દેશાવકાશિક વ્રત કહેવાય. પ્રથમ દિવ્રતમાં યાવજ્જીવિત સુધી અથવા વર્ષ પ્રમુખની મર્યાદાએ સો યોજન વગેરેની જે છૂટ રાખી હોય તેમાંથી આ દેશાવકાશિક વ્રતમાં મુહૂર્ત, પહોર, દિવસ વગેરે ઇચ્છિત કાળ સુધી ઘટાડવામાં આવે છે અને તેટલા વખત સુધી ઘર, હાટ, શય્યા વગેરે વિભાગમાં આરંભને તજીને એક દેશની મર્યાદાએ રહેવાય છે તેને દેશાવકાશિક વ્રત કહે છે. દૃષ્ટિવિષ સર્પના વિષનો વિસ્તાર બાર યોજન સુધી હોય છે તેને વિદ્યાના બળથી ઊણો કરીને એક યોજન સુધી જેમ લાવી મૂકે છે, અથવા આખા શરીરમાં રહેલું વીંછીનું વિષ મંત્રના બળથી જેમ એક આંગળીમાં (ડંખમાં) લાવી મૂકે છે, એવી રીતે વિવેકી મનુષ્ય દિવ્રતમાં રાખેલા દિશાપરિમાણનો હમેશાં સંક્ષેપ કરવો. આ વ્રતથી બીજા સર્વ વ્રતોના નિયમોનો પણ પ્રતિદિન સંક્ષેપ કરાય છે. એથી જ પૂર્વે કહેલ ‘‘સચિત્તદવ” એ ગાથામાં બતાવેલા ૧૪ નિયમોને શ્રાવક પ્રાતઃકાળે ગ્રહણ કરે છે, સાયંકાળે તેનો સંકોચ કરે છે અને તેનું પચખાણ કરતાં ‘દેસાવગાસિયં પચ્ચક્ખામ’ એ પદથી ગુરુની સમક્ષ કબૂલ કરે છે. તે વિષે કહ્યું છે કે ‘‘દિશિપરિમાણ વ્રતનો નિત્ય સંક્ષેપ કરવો તે દેશાવકાશિક અથવા સર્વ વ્રતનો સંક્ષેપ પ્રતિદિન જે વ્રતમાં થાય છે તે દેશાવકાશિક વ્રત જાણવું.'' તેમાં પહેલા વ્રતનો સંક્ષેપ આ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy