SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૦ થાય છે. તે વિષે સાંભળવામાં આવ્યું છે કે-“શ્રી કુમારપાળ રાજા અઢારસો સાઘર્મી વ્યવહારીઓને ઘર્મનાં ઉપકરણો આપતા હતા.” એક વખતે કોઈ ચારણે એક વર્ણવાળા પાંચસો ઘોડાને જોઈ કોઈને પૂછ્યું કે “આ કોના ઘોડા છે?” તે પુરુષે કહ્યું કે-“શ્રી કુમારપાળ રાજાની પૌષઘશાળામાં મુખવસ્ત્રિકા વગેરે ઉપકરણો જે આપે છે અને જેઓ સાઘર્મીઓની સારસંભાળ કરે છે તેના આ ઘોડા છે, અને તેના નિર્વાહ માટે રાજાએ બાર ગામ આપ્યાં છે. તેની ઊપજમાંથી જે દ્રવ્ય આવે તે સર્વ ધર્મના ઉપકરણોની વૃદ્ધિ માટે અને સાથર્મીઓની સારસંભાળમાં વાપરવા માટે ઠરાવેલું છે.” તે સાંભળી ચારણે આ પ્રમાણે બિરુદ કહ્યું–“તે પાર્શ્વનાથ બહુ રૂડા છે કે જેના શાસનમાં કુમારપાળ રાજા જેવો રાજા થયો છે, જેને જોવાથી મુનિઓનો સમૂહ સદા હર્ષ પામે છે.” આ પ્રમાણે ઘર્મનું વર્ણન (પ્રશંસા) સાંભળી કુમારપાળે તેને એક લક્ષ દ્રવ્ય આપ્યું. “એ પ્રમાણે સમતારૂપ અમૃતના સ્વાદમાં તત્પર એવા કુમારપાળ રાજાએ ઘર્મનાં ઉપકરણોની વૃદ્ધિ માટે ઘણાં ગ્રામો અને અશ્વો આપ્યાં હતાં.” વ્યાખ્યાન ૧૪૪ સામાયિકનું ફળ देशसामायिकं श्राद्धो, वितन्वन् घटिकाद्वयम् । द्रव्यादीनां व्ययाभावादहो पुण्यं महद्भवेत् ॥१॥ ભાવાર્થ-બે ઘડીનું દેશસામાયિક આચરતા શ્રાવકને દ્રવ્યાદિકના ખર્ચ વિના પણ અહો! કેવું મોટું પુણ્ય થાય છે.” વિશેષાર્થ-શ્રાવક બે ઘડી (એક મુહૂર્ત)નું દેશસામાયિક કરતો તો મોટું પુણ્ય ઉપાર્જન કરે છે. તે સામાયિક કેવી રીતે કરવું? તે કહે છે–પૂર્વોક્ત યુક્તિ વડે રજોહરણ, મુખવસ્ત્રિકા વગેરે ઉપકરણો લઈને ઇરિયાવહી પડિક્કમવી. તે વિષે શ્રી મહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે “ઇરિયાવહી પડિકમ્યા વિના ચૈત્યવંદન, સ્વાધ્યાય અને ધ્યાનાદિક કરવું કહ્યું નહીં.” વળી શ્રી હરિભદ્રસૂરિએ રચેલી શ્રી દશવૈકાલિકસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે-“ઈર્યાપથિકી પડિકમ્યા સિવાય બીજું કાંઈ કરવું નહીં, કારણ કે તે પ્રમાણે કરેલ કાર્યમાં અશુદ્ધપણાની આપત્તિ છે.” તેથી પ્રથમ ઈર્યાપથિકી પડિક્કમીને સામાયિક કરવું. પંચાશકવૃત્તિમાં, નવપદપ્રકરણમાં, આવશ્યકનિર્યુક્તિના બીજા ખંડના પ્રાંત ભાગમાં અને શ્રાદ્ધદિનત્યસૂત્રમાં પ્રથમ કરેમિ ભંતે' ઇત્યાદિ સૂત્ર ભણીને પછી ઈર્યાપથિકી પડિક્કમવી એમ કહેલું છે. તે દેખીને શ્રી આર્યધર્મમાં વ્યામોહ (સંદેહ) કરવો નહીં, કારણ કે શ્રી ગણઘર મહારાજાઓની સમાચારીઓ પણ જુદી જુદી સાંભળીએ છીએ. તત્ત્વ તો બહુશ્રુતથી જાણવા યોગ્ય છે, પરંતુ બુદ્ધિમાન પુરુષોએ પૂર્વાચાર્યની પરંપરાએ ચાલ્યો આવેલ ન હોય તેવો પક્ષ પોતાની બુદ્ધિથી કલ્પના કરીને સ્વીકારવો નહીં. સામાયિક ગ્રહણ કરવાનો વિશેષ વિધિ શ્રી ઘર્મસંગ્રહ આદિ ગ્રંથોથી જાણી લેવો. એવી રીતે વિધિપૂર્વક સામાયિક આચરતો શ્રાવક દ્રવ્ય–વસ્ત્રાદિકના ખર્ચ વગર મોટું પુણ્ય ઉપાર્જન કરે છે. તે ૧ અહીં પાર્શ્વનાથ શબ્દ જૈનોના દેવ સમજવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy