SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [તંભ ૧૦ અહીં કોઈને શંકા થાય કે “મુનિનાં સામાયિક સંબંધી પ્રસ્તાવમાં ભંતે' એ શબ્દની વ્યાખ્યા કરતાં “ગુરુવિરહૃમિ' ઇત્યાદિ વાક્યો વડે ભાષ્યકાર મહારાજે સાધુને આશ્રયીને સ્થાપના કરવાનું કહેલું છે, શ્રાવકને આશ્રયીને કહેલું નથી.” તો એ શંકા કરનારને એટલું જ પૂછવું કે, શ્રાવક જ્યારે સામાયિક ઉચ્ચરે છે ત્યારે ભદંત (ભંતે) એ શબ્દ ભણે છે કે નહીં? જો ભણે છે તો સાધુની જેમ સાક્ષાત્ ગુરુને અભાવે તે પણ સ્થાપનાનું સ્થાપન કરે; કારણ કે ન્યાયનું તો બન્ને ઠેકાણે સમાનપણું છે. અને “ભંતે' એ પદ ભણવું નહીં એ પક્ષ તો દીક્ષા વખતે શ્રી જિનેશ્વર ભગવંતને જ ઘટે છે. તેમ વળી જ્યારે સર્વે જ્ઞાનક્રિયામાં પ્રવીણ એવા સાધુ સ્થાપના સ્થાપે તો પછી ગૃહકાર્યમાં વ્યગ્ર મનવાળો શ્રાવક તો વિશેષ પ્રકારે એમાં પ્રવૃત્તિ કરે જ. આ પ્રમાણે આગમપ્રમાણ દર્શાવીને હવે યુક્તિ દર્શાવીએ છીએ. જો સ્થાપનાચાર્ય વિના અનુષ્ઠાન કરીએ તો વંદનકનિયુક્તિમાં કહેવું છે કે _आयप्पमाणमित्तो, चउदिसि होइ उग्गहो गुरुणो। આત્મપ્રમાણ એટલે સાડાત્રણ હાથ પ્રમાણ ચારે દિશાએ ગુરુનો અવગ્રહ હોય.” તે અવગ્રહ ક્ષેત્રમાં ગુરુની આજ્ઞા વિના પેસવું નહીં, એમ પણ કહેલું છે તો એ વાક્ય શી રીતે ઘટશે? કારણ કે ગુરુને અભાવે અવગ્રહ ઘટતો નથી, જેમ ગામને અભાવે સીમની વ્યવસ્થા ન હોય તેમ. વળી શ્રી સમવાયાંગ સૂત્રમાં વાંદણાના પચીશ આવશ્યક કહ્યાં છે. તેમાં “guસ મેગ નિવરવમri” ઇત્યાદિ જે કહેલું છે તે પણ ગુરુ વિના કેવી રીતે કરવું? વળી કોઈ એમ કહે કે–“અમે તો ગુરુનું સ્થાપન હૃદયમાં કરીશું.” તેના જવાબમાં ગુરુ કહે છે કે “આ તમારું કહેવું ગઘેડાનાં શીંગડાનાં લાવણ્યનું વર્ણન કરવા જેવું (મિથ્યા) છે, કેમકે ગુરુ હૃદયમાં રહ્યા હોય તો વંદના કરનારની સાથે જ ગુરુનો સંચાર થયો, એટલે બે પ્રવેશ ને એક નિષ્ક્રમણમાં ગુરુ સાથે જ સંચર્યા, તેથી કોઈ પણ પ્રકારે ગુરુના મુખ આગળ નિર્ગમ અને પ્રવેશ કરવાનું ઘટમાન થાય નહીં, અને તે ન થતાં પચીશ આવશ્યક પૂરાં થશે નહીં અને તે જ્યારે પૂરાં નહીં થાય ત્યારે વંદનની શુદ્ધિ થશે નહીં; માટે ગુરુની સ્થાપના સ્થાપીને જ ક્રિયા કરવી એમ સિદ્ધ થાય છે.” બીજું ઉપકરણ મુખવસ્ત્રિકા રાખીને સામાયિક કરવું. તે વિષે શ્રી વ્યવહાર સૂત્રમાં કહ્યું છે કે–“હે ગૌતમ! જે મુહપત્તી પડિલેહ્યા વિના વાંદણા આપે તેને ગુરુ પ્રાયશ્ચિત્ત આવે છે.” વળી શ્રી વ્યવહારચૂર્ણમાં કહ્યું છે કે-“પ્રાવરણ (ઓઢવાનું વસ્ત્ર) આભૂષણ વગેરે મૂકી, મુહપત્તી ગ્રહણ કરીને વસ્ત્ર તથા કાયાનું પ્રમાર્જન કરી પૌષઘાદિક આચરવાં.” વળી શ્રી આવશ્યક ચૂર્ણમાં કહ્યું છે કે-“જે સામાયિક કરે તે મુગટ ઉતારે અને કુંડલ, મુદ્રિકા, પુષ્પ, તાંબૂલ અને પ્રાવરણ વગેરે વોસિરાવે.” શ્રી નિશીથસૂત્રની ચૂર્ણના ચૌદમા ઉદ્દેશામાં પ્રાવરણનો અર્થ ‘ઉત્તરીય વસ્ત્ર’ કર્યો છે. અહીં ઉત્તરીય વસ્ત્ર મૂકવાથી શ્રાવકને મુખવસ્ત્રિકાનું ગ્રહણ કરવું એમ અર્થોપત્તિ વડે સૂચવે છે. શ્રી ઉપાસગદશાંગ સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં કહ્યું છે કે-“એકદા તે કંડકોળિક શ્રમણોપાસક પૂર્વ અપરાત કાળે અશોક વનમાં જ્યાં પૃથ્વીશિલાપટ્ટ છે ત્યાં આવે, આવીને નામાંકિત મુદ્રિકા અને ઉત્તરીય વસ્ત્ર શિલાપટ્ટ ઉપર સ્થાપન કરે, કરીને શ્રમણ ભગવંત શ્રી વીરપરમાત્માની સમીપે ઘર્મતત્ત્વને આદરતો સતો વિચરે.” તે જ ઠેકાણે દેવની પરીક્ષા પછી કહ્યું છે કે-“તે કાળે તે સમયે ૧ બપોર અગાઉનો સમય. ૨ ઓઢવાનું વસ્ત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy