SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ 3 [તંભ ૧૦ અનુષ્ઠાન પાંચ પ્રકારનું છે તે આ પ્રમાણે–(૧) આ લોકને અર્થે તપસ્યા કે ક્રિયા વગેરે જે કાંઈ કરે તે વિષાનુષ્ઠાન જાણવું. માગધિકા વેશ્યાએ કુળવાળુકમુનિને ભ્રષ્ટ કરવા માટે કર્યું હતું તેની જેમ. (૨) પરલોકના સુખને અર્થે જે તપસ્યા ક્રિયા વગેરે કરે તે ગરલાનુષ્ઠાન જાણવું, વસુદેવના જીવ નંદિષેણની જેમ. (૩) ઉપયોગ વગર જે તપ, સામાયિક વગેરે કરે અથવા બીજાની ક્રિયા જોઈને સંમૂર્છાિમની જેમ કરે તે અન્યોન્યાનુષ્ઠાન જાણવું. લૌકિકશાસ્ત્રમાં પણ કહ્યું છે કે“ગુરુના ઉપદેશ વિના જે કોઈ બીજાનું દેખીને અનુકરણ કરે તે જટિલના મૂર્ખ શિષ્યની જેમ હાસ્યને પાત્ર થાય છે.” જટિલના મૂર્ખ શિષ્યની કથા–વદ્ધમાન નગરમાં કોઈ ભરડા–જટિલનો એક શિષ્ય હતો. તે એક વખતે નગરમાં ભિક્ષા માગવા કોઈ સુતારને ઘેર ગયો. ત્યાં સુતાર એક વાંસને તેલ ચોપડી અગ્નિના તાપથી પાંશરો કરતો હતો. તે જોઈ પેલા જડબુદ્ધિ શિષ્ય સુતારને પૂછ્યું કે–“આ શું કરો છો?” સુતારે કહ્યું–‘વાંકા થઈ ગયેલા વાંસને પાંશરો કરીએ છીએ.” મૂર્ખ શિષ્ય વિચાર્યું કે–“મારા ગુરુ પણ વાયુના વિકારથી વાંકા થઈ ગયા છે. તેમને માટે આ ઉપાય સારો જણાય છે. સર્વને પાંશરા કરવાનો આ જ પ્રકાર હશે.” પછી ઘેર આવી ગુરુને તેલથી ચોળી અગ્નિમાં તપાવવા માંડ્યા. ત્યાં અગ્નિથી અત્યંત કષ્ટ પામી ગુરુ પોકાર કરવા લાગ્યા. તેમનું આક્રંદ સાંભળી ઘણા લોકો એકઠા થયા અને મહામહેનતે ગુરુને છોડાવ્યા. સર્વ લોકોએ મૂર્ખ શિષ્યનો તિરસ્કાર કર્યો. આનો ઉપનય એવો છે કે પોતાની બુદ્ધિએ વિચારી બુદ્ધિમાન પુરુષોએ કાર્ય કરવું, પણ અન્યોન્યાનુષ્ઠાન ન કરવું. (૪) ઉપયોગપૂર્વક અભ્યાસને અનુકૂળ એવી ક્રિયા કરવી તે તદ્ધતુઅનુષ્ઠાન, તે આનંદ શ્રાવક વગેરેની જેમ જાણવું અને (૫) મોક્ષને અર્થે યથાર્થ વિધિપૂર્વક જે તપક્રિયાદિ કરવું તે અમૃતાનુષ્ઠાન, તે વીતરાગસંયમી અર્જુનમાળી વગેરેની જેમ જાણવું, આ પાંચ પ્રકારના અનુષ્ઠાનમાં પહેલા ત્રણ ત્યાગ કરવા યોગ્ય છે અને છેલ્લા બે સ્વીકારવા યોગ્ય છે. તેવી રીતે બીજા પણ અનુષ્ઠાનના ચાર પ્રકાર છે–(૧) જે પ્રીતિપૂર્વક અને રસ વડે કરાય અને અતિ રુચિથી વધે તે પ્રીત્યનુષ્ઠાન કહેવાય છે. તે સરલસ્વભાવી જીવોને હમેશાં ક્રિયામાં થાય છે. (૨) બહુમાનથી ભવ્યજીવો પૂજ્ય ઉપરની પ્રીતિ વડે જે કરે તે ભત્યનુષ્ઠાન કહેવાય છે. પ્રીત્યનુષ્ઠાન ને ભજ્યનુષ્ઠાનમાં એટલો તફાવત છે કે સ્ત્રીનું પાલન પ્રીતિથી થાય છે અને માતાની સેવા ભક્તિથી થાય છે. (૩) સૂત્રના વચનથી જે ક્રિયા કરવામાં આવે તે વચનાનુષ્ઠાન કહેવાય છે તે સર્વત્ર આગમને અનુસાર પ્રવૃત્તિ કરવારૂપ હોવાથી ચારિત્રઘારી સાધુને હોય છે, પાસસ્થાદિકને હોતું નથી. (૪) જે અભ્યાસના બળથી શ્રુતની અપેક્ષા વગર અને ફળની ઇચ્છા વગર જિનકલ્પીની જેમ યથાર્થ કરે તે અસંગાનુષ્ઠાન કહેવાય છે. વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનમાં એટલો તફાવત છે કે કુંભારના ચક્રનું ભ્રમણ પ્રથમ દંડના સંબંઘથી થાય છે તેની જેમ વચનાનુષ્ઠાન અને પછી જે ચક્રનું ભ્રમણ દંડના સંયોગ વિના કેવળ સંસ્કારમાત્રથી થાય છે તેની જેમ અસંગાનુષ્ઠાન, એટલે જે શ્રુત સંસ્કારથી ક્રિયાકાળે વચનની અપેક્ષા વગર થાય તે અસંગાનુષ્ઠાન કહેવાય છે. આ યુક્તિથી બન્નેમાં ભેદ સમજવો. આ ચારે ભેદ અનુક્રમે વિશેષ વિશેષ શુદ્ધ છે. તે વિષે બૃહદ્ભાગ્યમાં કહ્યું છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy