SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૦૩] ભગવંતની દેશના ૧૮૭ પછી શ્રી જિનેશ્વર પહેલા ગઢમાંથી ઊતરી બીજા ગઢમાં ઈશાનકોણમાં દેવછંદા ઉપર આવી અનેક દેવતાઓથી પરિવૃત થઈ સુખે બેસે છે. બીજી પોરસીમાં રાજા વગેરેએ લાવેલા સિંહાસન ઉપર અથવા પ્રભુના પાદપીઠ ઉપર બેસી ગણઘર ઘર્મદેશના આપે છે. બીજી પોરસી પૂર્ણ થાય એટલે સૌ સ્વસ્થાનકે જાય છે. પુનઃ પાછલી (ચોથી) પોરસીએ પ્રભુ સિંહાસન ઉપર બેસી દેશના આપે છે. જ્યાં આવું સમવસરણ પ્રથમ ન થયું હોય ત્યાં ચાર પ્રકારના દેવતાઓ મળીને ઉપર કહ્યા પ્રમાણે સમવસરણ કરે છે અને કોઈ મહર્તિક દેવતા પ્રભુને નમવા આવે તો તે એકલો પણ સમવસરણ કરી શકે છે. 'હવે સમવસરણ વિના પણ નિયમા પ્રભુની સહચારી સંપત્તિ હોય તે કહે છે–“જ્યારે સમવસરણ ન હોય ત્યારે પણ પ્રભુની પાસે અવશ્ય આઠ પ્રતિહાર્ય હોય છે.” એ આઠ પ્રતિહાર્યનું વર્ણન પ્રથમ સ્તંભમાં લખવામાં આવ્યું છે. આ પ્રમાણે અનંત ગુણરત્નથી સુશોભિત એવા અહંતનું વર્ણન શાસ્ત્રારૂપ સમુદ્રમાંથી ઉદ્ધરીને અહીં કહેલું છે. તેને અનુસાર પ્રવૃત્તિ કરીને ઘાર્મિક જનોએ પોતાના આત્માનું હિત કરવું.” વ્યાખ્યાન ૨૦૩ ભગવંતની દેશના શ્રી જિનેંદ્રભગવાન સમવસરણમાં બેસી દેશના આપે છે તે વિષે કહે છે– बहवोऽविरता जीवास्तेभ्योऽल्पास्तु सुदृष्टयः । સ્વલ્પતરાસ્તતિઃ શ્રાદ્ધ સાધવોડાતમસ્તથા II ભાવાર્થ-જગતમાં ઘણા જીવો તો અવિરત છે. તેમનાથી બહુ અલ્પ જીવ સમ્યકત્વઘારી હોય છે, તેમનાથી અતિ અલ્પ દેશવિરતિ (શ્રાવક) હોય છે અને તેમનાથી અતિશય અલ્પ સર્વવિરતિ (સાઘુઓ) હોય છે.” અવિરત એટલે બાર પ્રકારની વિરતિથી રહિત એવા જીવ ઘણા છે, કારણ કે સમસ્ત વિશ્વમાં મિથ્યાત્વી જીવ જ ઘણા હોય છે. તેમનું પણ અહીં ગ્રહણ કરવાનું છે. તે બાર અવિરતિ આ પ્રમાણે–મન અને પાંચ ઇંદ્રિયોનો અનિયમ–એ છ તથા છ કાયના જીવનો વઘ–એ છ મળી બાર પ્રકારની અવિરતિ છે. તેવા અવિરતિ જીવોથી સમ્યત્વઘારી જીવો અલ્પ હોય છે. તેમનાથી દેશવિરતિ શ્રાવકો અતિ અલ્પ હોય છે. તેઓ અગિયાર અવિરતિના નિયમથી રહિત, માત્ર બારમા ત્રસકાયને ન હણવાના નિયમવાળા (પચખાણ કરવાવાળા) હોવાથી વિરતિના એક દેશને ઘરનારા હોય છે, તેથી તે દેશવિરતિ કહેવાય છે. તેમનાથી સર્વવિરતિ સાધુઓ અતિશય અલ્પ હોય છે. અહીં આ પ્રમાણે ભાવના છે–આ સંસારમાં જીવોની ચાર પંક્તિઓ છે. તેમાં પહેલી પંક્તિમાં સર્વે એકેંદ્રિયપ્રમુખ જીવો છે કે જે અવિરતિની પંક્તિના છે. તેમાં એકેંદ્રિય જીવો પાંચ આસ્રવથી વિરત થયા નથી, તેથી તેવડે ઉત્પન્ન થતાં કર્મનો બંધ તે પ્રાપ્ત કરે છે; માટે તેઓ વિરત કહેવાય નહીં. જેમ સૂતેલા, પ્રમાદી અને મૂચ્છિત વગેરે જીવો શક્તિચેતનાના અભાવ વડે કદી હિંસાદિ કરતા નથી, તથાપિ તે વ્રતી કહેવાય નહીં, કારણ કે તેમનામાં વિરતિના પરિણામનો અભાવ છે. તેવી જ રીતે મૂંગા વગેરે અસત્ય બોલતા નથી, તથાપિ તે સત્યવાદી ન કહેવાય. ટૂંઠા ને પાંગળાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy