SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પર શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ સ્તિંભ ૧૩ કરતા ગુરુ પાસે આવ્યા. વળી ત્યાં વિચારવા લાગ્યા કે “આવા મનોજ્ઞ આહારની ગુરુ સમક્ષ આલોચના કરવાની શી જરૂર છે? કેમ કે આજે અતિ મનોહર આહાર મળ્યો છે, તેથી કદી સ્વાદના લોભે ગુરુ પોતે જ બધો ખાઈ જાય તો પછી હું શું કરું? માટે આલોચના કરવાથી સર્યું.” આવો માઠો વિચાર કરી ગુરુને બતાવ્યા વગર તે મુનિ સત્વર ભોજન કરવા બેઠા. ભોજન કરતાં ચિંતવ્યું કે “અહો! આનો સ્વાદ દેવતાને પણ દુર્લભ છે. આજે ખરેખરી જન્મની સાર્થકતા થઈ. આટલા વખત સુધી મેં દેહનું દમન વૃથા કર્યું અને શરીરને ફોગટ શોષિત કર્યું. આવો આહાર જેને નિત્ય મળે છે તેનો જ જન્મ સફળ છે.” આવી રીતે ચિંતવતા સતા તે આહાર જમી સુખે સુઈ રહ્યા. તેમને એવી નિદ્રા આવી કે આવશ્યક ક્રિયાના સમયે પણ તે ઊઠ્યા નહીં. એટલે સૂરિએ વિચાર્યું કે–“આ શિષ્ય સર્વદા સુવિનીત છતાં આજે જ પ્રમાદી થયો છે તેનું કારણ તેણે અશુદ્ધ આહાર કર્યો લાગે છે.' તેવામાં પ્રાતઃકાળ થવાથી પેલો શ્રાવક ગુરુને વાંદવા આવ્યો. ત્યાં તે મુનિને સૂતેલા જોઈ તેણે કારણ પૂછ્યું, એટલે સૂરિ બોલ્યા- હે શ્રાવક! કાલે આ મુનિ આહાર કરીને સૂતા છે તે ઉઠાડ્યા પણ ઊઠતા નથી.” તે સાંભળી શ્રેષ્ઠી બોલ્યો-“હે પૂજ્ય! કાલે મારે ઘેરથી જ તેમણે આહાર વહોર્યો છે.” ગુરુ બોલ્યા- હે શેઠ! તમે વહોરાવેલો આહાર સર્વ દોષથી રહિત હતો કે નહીં?” શેઠે કહ્યું –દોષ તો મારા જાણવામાં આવ્યા નથી, પણ મેં જે ચોખા રંઘાવ્યા હતા તે મારા ઘરના ત્રગણા ચોખા મૂકી જિનમંદિરના ચોખા લાવીને રાંધ્યા હતા.” આ પ્રમાણે સત્ય વૃત્તાંત તેણે ભદ્રિકભાવે કહી દીધો. તે સાંભળી ગુરુ બોલ્યા- “હે શ્રાવક! તેં એ કાર્ય યોગ્ય કર્યું નહીં, કારણ કે સિદ્ધાંતમાં કહ્યું છે કે “જિનપ્રવચનની વૃદ્ધિ કરનાર અને જ્ઞાનદર્શન ગુણનું પ્રભાવક એવા જિનદ્રવ્યનું જો શ્રાવક ભક્ષણ કરે તો તે અનંતસંસારી થાય છે; તેમ જ શ્રાવક જો તેવા જિનદ્રવ્યનું રક્ષણ કરે તો પરિત્તસંસારી થાય છે.” તે વિષે એક દ્રષ્ટાંત છે તે સાંભળ – કોઈ નગરમાં એક ઘનાઢ્ય શેઠ રહેતો હતો. તે પોતાના એક પાડોશીને નિરંતર પીડા કરતો હતો; તેથી તે નિર્ધને વિચાર્યું કે કોઈ પણ પ્રકારે આ ઘનાટ્ય શ્રેષ્ઠી મારા જેવો નિર્ધન થાય તેમ કરું. એકદા તે શ્રેષ્ઠી નવું ઘર ચણાવતો હતો તે જોઈ પેલા નિર્ણને જિનચૈત્યની ઇંટોના ખંડ લાવી ગુપ્ત રીતે તેમાં ચણી દીધા. દેવદ્રવ્યનો ઉપયોગ થવાથી તે ઘનાઢ્ય શ્રેષ્ઠી અનુક્રમે તે ઘરમાં રહેવાથી નિર્ધન થઈ ગયો. અન્યદા પેલા નિર્દને કહ્યું–“મને વિડંબના કરવાનું ફળ તેં આવું પ્રાપ્ત કર્યું, આ બધું મારું કૃત્ય જાણજે.” પછી તે શ્રેષ્ઠીએ સામવાક્યથી તેને સંતુષ્ટ કર્યો એટલે તેણે પોતાનું કરેલું કૃત્ય જણાવ્યું. તે જાણી શ્રેષ્ઠીએ પોતાના ઘરની ભીંતમાંથી પેલા ઇંટોના ખંડ કાઢી નખાવ્યા અને તેના પ્રાયશ્ચિત્તમાં એક નવું ચૈત્ય કરાવ્યું. પછી તે પાછો સુખી થયો.” આ પ્રમાણેની કથા કહીને સૂરિએ કહ્યું- હે શ્રેષ્ઠી! તે દેવદ્રવ્ય ભક્ષણ કર્યું છે; તેથી તને મોટું પાપ લાગ્યું છે.' તે સાંભળી ભય પામેલો તે શ્રેષ્ઠી બોલ્યો-“મને પણ ગઈ કાલે જ ઘણા દ્રવ્યની હાનિ થઈ છે.' સૂરિ બોલ્યા- હે શેઠ! તારું તો બાહ્ય ઘન ગયું, પણ આ મુનિનું તો અંતરંગ ઘન ગયું. હવે તેની આલોચનામાં તારે એટલું કરવું યોગ્ય છે કે તારા ઘરમાં અત્યારે જેટલું દ્રવ્ય છે તે વડે જિનચૈત્ય કરાવવું.” શ્રેષ્ઠીએ તે પ્રમાણે કર્યું. પછી આચાર્યે પેલા મુનિને રેચક પાચક ઔષઘો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy