SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૦ પછી સર્વ લોકોએ મુનિને પ્રણામ કરીને ખમાવ્યા. તે મુનિ વીરભગવંતના વચનમાં તત્પર રહી પ્રાંતે કેવળજ્ઞાન મેળવીને મુક્તિને પ્રાપ્ત થયા. આ વૃત્તાંત સાંભળી ચિત્રગુપ્ત ગર્વ રહિત થઈ ગયો. પછી સર્વ અનર્થદંડને નિવારવાને માટે મુનિવ્રત લઈ પૂર્વકૃત પાપનો દુસ્તપ તપસ્યા વડે નાશ કરીને આ સંસારના પ્રપંચને ટાળી દીઘો અર્થાતુ સિદ્ધિપદને પામ્યો. તેથી પ્રમાદ, ક્રોધ, કપટ અને અજ્ઞાનથી તથા દુર્ગાન વગેરેથી પોતાના આત્મઘર્મને હણનાર અનર્થદંડનો ત્યાગ કરવો અને શ્રી જૈનધર્મને ભજવો. વ્યાખ્યાન ૧૩૮ પહેલું શિક્ષાવ્રત-સામાજિક હવે વારંવાર સેવવાયોગ્ય ચાર શિક્ષાવ્રત કહે છે. તેમાં પહેલું સામાયિક નામે શિક્ષાવ્રત કહે છે मुहूर्तावधि सावधव्यापारपरिवर्जनम् । आद्यं शिक्षाव्रतं सामायिकं स्यात्समताजुषाम् ॥१॥ ભાવાર્થ-“એક મુહૂર્ત સુધી સાવદ્ય વ્યાપારને છોડી દેવો તે પહેલું સામાયિક નામે શિક્ષાવ્રત કહેવાય છે. તે સમતાને સેવનારા પુરુષોને પ્રાપ્ત થાય છે.” વિશેષાર્થ–મુહર્ત એટલે બે ઘડી સુધી સાવદ્ય એટલે પાપયુક્ત મન, વચન, કાયાની ચેષ્ટારૂપ વ્યાપારને છોડવો તે પહેલું શિક્ષાવ્રત. જે શીખવા યોગ્ય એટલે વારંવાર કરવા યોગ્ય તે શિક્ષાવ્રત કહેવાય છે.સમતા એટલે રાગદ્વેષના હેતુમાં મધ્યસ્થપણું. તે વિષે કહ્યું છે કે इतो रागमहांभोधिः, इतो द्वेषदवानलः । यस्तयोर्मध्यगः पंथाः, तत्साम्यमिति गीयते ॥१॥ “એક તરફ રાગરૂપી મોટો સમુદ્ર અને એક તરફ ટ્રેષરૂપી દાવાનળ–તે બન્નેના મધ્યનો જે માર્ગ તે સામ્ય–સમતા કહેવાય છે.” તેવી સમતાને ભજનારા જીવોને સામાયિક થાય છે. હવે સામાયિકના બીજા અર્થ કહે છે–સમ એટલે રાગદ્વેષ રહિત થતા સતા આય એટલે જ્ઞાનાદિકનો જે લાભ તે સામાયિક અથવા સમ એટલે પ્રતિક્ષણે જ્ઞાનાદિ અપૂર્વ પર્યાય કે જેઓએ ચિંતામણિ તથા કલ્પદ્રુમ વગેરેના પ્રભાવનો પણ તિરસ્કાર કરેલો છે અને જેઓ નિરુપમ સુખના હેતુરૂપ છે, તેઓની સાથે જે યોજાય તે સમાય કહેવાય અને તે સમાય જેનું પ્રયોજન છે તે સામાયિક કહેવાય છે. તે સામાયિક સાવદ્ય કર્મનો ત્યાગ કર્યા વિના થતું નથી. તે વિષે પરમ ઋષિઓએ કહ્યું છે કે-“સાવદ્ય યોગને છોડીને કરવા યોગ્ય એવું સામાયિક કેવળીઓએ પ્રશસ્ત (શ્રેષ્ઠ) કહેલું છે. તેવું સામાયિક ગૃહસ્થના શ્રેષ્ઠ ઘર્મરૂપ જાણી આત્માનું હિત કરનારા પુરુષોએ પરલોકને અર્થે કરવું જોઈએ.” તે સામાયિકનું ફળ એટલું મોટું છે કે જે કોઈથી ગણી શકાતું નથી. કહ્યું છે કે दिवसे दिवसे लक्खं, देइ सुवन्नस्स खंडियं एगो । इयरो पुण सामाइय, करेइ न पहूप्पए तस्स ॥१॥ “એક પુરુષ દિવસે દિવસે લાખ સુવર્ણનું દાન દે અને બીજો સામાયિક કરે તો સુવર્ણનું દાન સામાયિકની બરોબર ન થાય.” તે વિષે એક દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy