SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૮૩] ચોરીના નઠારાં ફળો ન્યાયવૃત્તિથી વ્યાપાર કરો, એટલે ખબર પડશે.” વઘુનાં આવાં વચનથી શ્રેષ્ઠીએ તેમ કર્યું, તો છ માસમાં તેણે પાંચ શેર સુવર્ણ ઉપાર્જન કર્યું. સત્ય વ્યવહારથી લોકો તેનો જ વિશ્વાસ કરીને તેને ત્યાંથી જ લેવા દેવા લાગ્યા અને સર્વત્ર તેની કીર્તિ પ્રસાર પામી. શેઠે તે સુવર્ણ લાવી વધૂને અર્પણ કર્યું. વઘૂએ ન્યાયપાર્જિત દ્રવ્યની પરીક્ષા કરવા માટે તે સુવર્ણની એક પાંચશેરી કરાવી. પછી તેની ઉપર ચામડું મઢાવી પોતાના સસરાના નામની મહોર કરી બે ત્રણ દિવસ સુધી ચૌટામાં રખડતી મૂકી, પણ કોઈએ તે લીધી નહીં. એક દિવસ તેને ઉપાડીને એક જળાશયમાં નાખી દીધી. ત્યાં એક મત્સ્ય તેને ગળી ગયો. તે મસ્થ ભારે થઈ જવાથી કોઈ ઢીમરની જાળમાં આવ્યો. તેને ચીરતાં પાંચશેરી નીકળી. તેને અમુક તોલું જાણી તે માછી એ જ શ્રેષ્ઠીની દુકાને વેચવા આવ્યો. શ્રેષ્ઠીએ તેના પર પોતાનું નામ હોવાથી થોડું દ્રવ્ય આપી તેની પાસેથી તે વેચાતી લીધી. પછી તેના પરથી ચામડું કાઢીને જોતાં પોતાની સોનાની પાંચશેરી જાણી તેને વધૂના વચન ઉપર ઘણી પ્રતીતિ આવી. પછી શુદ્ધ વ્યવહાર વડે તેણે ઘણું દ્રવ્ય ઉપાર્જન કર્યું, અને સાતે ક્ષેત્રમાં અનેક પ્રકારે વાપર્યું. અનુક્રમે તેનો યશ ઘણી પ્રૌઢતાને પ્રાપ્ત થયો. ત્યાર પછી સર્વે લોકો તે હલાક શેઠના દ્રવ્યને શુદ્ધ માની વ્યાપાર માટે તેનું જ દ્રવ્ય લેવા લાગ્યા. વહાણોમાં પણ નિર્વિઘતાને માટે તેનું દ્રવ્ય લઈને જ મુસાફરી કરવા લાગ્યા. આથી તેના દ્રવ્યની ઘણી વૃદ્ધિ થઈ અને તેનું નામ પણ માંગળિક ગણાવા લાગ્યું. અદ્યાપિ વહાણ ચલાવતી વખતે ખલાસી લોકો “હેલાસા હેલાસા' એમ કહે છે. એ પ્રમાણે તે હલાક શેઠનું પવિત્ર નામ અદ્યાપિ જગત પ્રસિદ્ધ છે. આ પ્રમાણે શુદ્ધ વ્યવહાર આ લોકમાં પ્રતિષ્ઠાનો હેતુ છે અને પરલોકમાં પણ મહા સુખકારી થાય છે. એવી રીતે પરમાર્થપણે ન્યાય જ દ્રવ્યોપાર્જનના ઉપાયભૂત છે એમ જાણવું. શુદ્ધાશુદ્ધ વ્યવહારના ફળને બતાવનાર આ હેલાક શ્રેષ્ઠીનું દ્રષ્ટાંત સર્વ ભવ્ય પ્રાણીઓએ મનન કરવાયોગ્ય છે. વ્યાખ્યાન ૮૩ ચોરીના નઠારાં ફળો હવે ઉપર કહેલું વ્રત ન પાળવાથી શું ફળ પ્રાપ્ત થાય તે કહે છે परस्वं तस्करो गृह्णन्, वधबंधादि नेक्षते । लगुडं दुग्धपायीव, बिडाल उपरिस्थितम् ॥१॥ व्याधधीवरमार्जारा-दिभ्यश्चौरोऽतिरिच्यते । નિગૃહ્મતે નૃપતિfમ—ર્ચસી નેતરે પુનઃ સારા ભાવાર્થ–પરદ્રવ્યને ગ્રહણ કરવા ઇચ્છતો ચોર, ચોરી વડે પ્રાપ્ત થનાર વઘ બંધનાદિ દેખતો નથી, જેમ દૂઘ પીવાને ઇચ્છતો માર્જર પોતાની ઉપર ઉગામી રહેલી લાકડીને જોતો નથી તેમ. પારધી, ઢીમર અને માર્ગાર વગેરેથી પણ ચોરી કરનાર અધિક અપરાધી છે, કારણ કે ચોરનો રાજા નિગ્રહ કરે છે અને પારથી વગેરેનો રાજા નિગ્રહ કરતો નથી, એટલે કે તેમને દંડ આપવાનું વિઘાન નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy