SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૪૫] સમકિતનું પાંચમું લક્ષણ-આસ્તિક્યતા ૧૫૫ નાની રાણી બોલી કે–“તમારા ત્રણે કરતાં મેં વઘારે ઉપકાર કર્યો છે, તમે કાંઈ પણ ઉપકાર કર્યો નથી.” આ પ્રમાણે તે રાણીઓ વચ્ચે ઉપકારના વિષયમાં મોટો વિવાદ થયો. ત્યારે તેને ન્યાય કરવા માટે રાજાએ તે ચોરને જ બોલાવીને પૂછ્યું કે-“તારા પર આ ચારમાંથી કોણે વધારે ઉપકાર કર્યો?” તે સાંભળી ચોર બોલ્યો કે–“હે મહારાજા! મરણના ભયથી ત્રણ દિવસમાં પીડા પામેલા મેં સ્નાન ભોજનાદિક સુખનો કાંઈ પણ અનુભવ કર્યો નથી. વાઘની સામે બાંધેલા લીલા જવને ખાનારા બકરાની જેમ મેં તો ત્રણ દિવસ કેવળ દુ:ખનો જ અનુભવ કર્યો છે. અને આજે તો શુષ્ક, નીરસ અને તૃણ જેવો સામાન્ય આહાર કરવાથી પણ વણિકને ઘેર બાંધેલા ગાયના વાછરડાની જેમ જિંદગી પ્રાપ્ત થવાથી કેવળ સુખનો જ અનુભવ કરું છું અને તેથી જ આજે હું હર્ષથી નૃત્ય કરું છું.” તે સાંભળીને રાજાએ અભયદાનની પ્રશંસા કરી. આ દ્રષ્ટાન્તનું તાત્પર્ય એ છે કે, “જેમ રાજાની નાની રાણીએ ચોરને મૃત્યુના દુઃખમાંથી બચાવીને મહાન ઉપકાર કર્યો, તેવી રીતે આસ્તિક મનુષ્યોએ નિરંતર પ્રાણીઓ પર અનુકંપા કરવી, તેમ કરવાથી સમકિતનું ચોથું લક્ષણ જે અનુકંપા તે શુદ્ધ રીતે પ્રગટ થાય છે.” વ્યાખ્યાન ૪૫ સમકિતનું પાંચમું લક્ષણ-આસ્તિક્યતા प्रभुभिर्भाषितं यत्तत्तत्त्वान्तरश्रुतेऽपि हि । निःशंकं मन्यते सत्यं, तदास्तिक्यं सुलक्षणम् ॥१॥ ભાવાર્થ-બીજા તત્ત્વ (મત)નું શ્રવણ કર્યા છતાં પણ “પ્રભુએ જે કહ્યું છે તે જ સત્ય છે,' એમ જે નિઃશંકપણે માને છે તે આસ્તિક્ય નામનું ચોથું લક્ષણ જાણવું.” આ વિષય પર પધશેખર રાજાની કથા છે તે નીચે પ્રમાણે પશેખર રાજાની કથા પૃથ્વીપુર નગરનો પદ્મશખર નામે રાજા વિનયંઘર સૂરિથી પ્રતિબોઘ પામીને જૈનઘર્મ થયો હતો. અને જૈનઘર્મના આરાઘનમાં તત્પર હતો. તે રાજા સભા સમક્ષ નિરંતર ગુરુનું આ પ્રમાણે વર્ણન કરતો હતો निवर्तयत्यन्यजनं प्रमादतः, स्वयं च निष्पापपथे प्रवर्तते । गृणाति तत्त्वं हितमिच्छुरङ्गिना, शिवार्थिनां यः स गुरुर्निगद्यते ॥४॥ ભાવાર્થ-જે ગુરુ અન્ય જનોને પ્રમાદથી નિવૃત્તિ પમાડે છે, અને પોતે નિષ્પાપ માર્ગમાં પ્રવર્તે છે, તથા હિતની ઇચ્છાવાળા જે ગુરુ મોક્ષના અભિલાષી પ્રાણીઓને હિતકારી તત્ત્વનો ઉપદેશ કરે છે, તે સુગુરુ કહેવાય છે.” वंदिजमाणा न समुक्कसंति, हिलिजमाणा न समुज्जलंति । दमंति चित्तेण चरंति धीरा, मुणी समुग्धाइय रागदोसा ॥१॥ ભાવાર્થ-જેઓ વંદના કરાયા સતા ઉત્સુક (ખુશી) થતા નથી અને હાલના કરાયા સતા ખેદ પામતા નથી તથા જેઓ ચિત્તવડે ઇન્દ્રિયોનું દમન કરે છે, ઘીરતા ગુણને ઘારણ કરે છે, અને જેઓ રાગદ્વેષનો નાશ કરે છે, તેઓ જ મુનિ કહેવાય છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002170
Book TitleUpdeshprasad Part 1
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy