SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ માટે નિશ્ચલ થઈ ગયા, જરા પણ હલતા બંધ થઈ ગયા, અકંપ બની ગયા, એમણે પોતાનાં અંગો અને ઉપાંગો સંકોડી લીધાં અને એ રીતે એ, માતાની કૂખમાં પણ અત્યંત ગુપ્ત થઈને રહેવા લાગ્યા. ૮૮. ત્યારપછી તે ત્રિશલા ક્ષત્રિયાણીના મનમાં આ આ પ્રકારનો વિચાર આવ્યો કે મારો તે ગર્ભ હરાઈ ગયો છે, મારો તે ગર્ભ મરી ગયો છે. મારો તે ગર્ભ સુઈ ગયો છે, અને મારો તે ગર્ભ ગળી ગયો છે. કારણ કે મારો એ ગર્ભ પહેલાં હલતો હતો હવે હલતો નથી. એમ વિચારીને તે કલુષિત વિચારવાળી ચિંતા ને શોકના દરિયામાં ડૂબી ગઈ. હથેળી ઉપર મોટું રાખીને આર્તધ્યાનને પામેલી તે ભૂમિ ઉપર નીચી નજર કરીને ચિંતા કરવા લાગી છે અને તે સિદ્ધાર્થ રાજાનું આખું ઘર પણ શોક છાયેલું થઈ ગયું છે. એટલે કે જ્યાં પહેલાં મૃદંગો, વણાઓ વગેરે વાદ્યો વાગતાં હતાં, લોકો રાસ લેતા હતા, નાટકીયાઓ નાટક કરતા હતા, બધે વાહ વાહ થઈ રહી હતી, ત્યાં હવે બધું સૂમસામ થઈ ગયું છે, અને એ આખું ઘર ઉદાસ થઈ ગયેલું રહે છે. ૮૯. ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીર માતાના મનમાં થયેલો આ આ પ્રકારનો વિચારચિંતવન-અભિલાષારૂપ-મનોગત - સંકલ્પ જાણીને પોતે પોતાના શરીરના એક ભાગથી કંપે છે. ૯૦. ત્યારપછી તે ત્રિશલા ક્ષત્રિયાણી રાજી રાજી થઈ ગઈ, તુષ્ટ થઈ ગઈ અને રાજી થવાને લીધે એનું હૃદય ધડકવા લાગ્યું, એવી રાજી થયેલી તે આ પ્રમાણે બોલી : ખરેખર મારો ગર્ભ હરાયો નથી, યાવત્ મારો ગર્ભ ગળ્યો પણ નથી, મારો ગર્ભ પહેલાં હલતો નહોતો તે હવે હલવા લાગ્યો છે. એમ કરીને તે ખુશ થયેલી અને સંતોષ પામેલી ત્રિશલા ક્ષત્રિયાણી એમ રહેવા લાગે છે. ૯૧. ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીર ગર્ભમાં રહેતાં રહેતાં જ આ જાતનો અભિગ્રહ-નિયમ સ્વીકારે છે, કે જયાં સુધી માતાપિતા જીવતાં હોય ત્યાં સુધી મારે મુંડ થઈને ઘરવાસ તજીને અનગારીપણાની દીક્ષા લેવાનું ખપે નહિ. ૯૨. પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી નહાઈ, બલિકર્મ કર્યું, કૌતુક અને મંગલ પ્રાયશ્ચિત્તો કર્યા. તમામ અલંકારોથી ભૂષિત થઈને તે ગર્ભને સાચવવા લાગી એટલે કે તેણીએ અતિશય ઠંડાં, અતિશય ઊનાં, અતિશય તીખાં, અતિશય કડવાં, અતિશય તરાં, અતિશય ખાટાં, અતિશય ગળ્યાં, અતિશય ચીકણાં, અતિશય લુખાં, અતિશય ભીનાં, અતિશય સૂકાં ભોજન, વસ્ત્ર, ગંધ અને માળાઓ તજી દીધા અને ઋતને યોગ્ય સુખ આપે એવાં ભોજન, વસ્ત્ર, ગંધ અને માળાઓ ધારણ કરતી તે રોગ વગરની. શોક વગરની, મોહ વગરની, ભય વગરની અને ત્રાસ વગરની બનીને રહેવા લાગી તથા તે ગર્ભ માટે જે કાંઈ હિતકર હોય તેનો પણ પરિમિત રીતે પથ્યપર્વક ગર્ભનું પોષણ થાય એ રીતે ઉપયોગ લાગી તથા ઉચિત સ્થળે બેસીને અને ઉચિત સમય જાણીને ગર્ભને પોષે એવો આહાર લેતી તે દોષ વગરના કોમળ એવાં બિછાનાં ને આસનો વડે એકાંતમાં સુખરૂપે મનને અનુકૂળ આવે એવી વિહારભૂમિમાં રહેવા લાગી. એને પ્રશસ્ત દોહદો થયા. તે દોહદો સંપૂર્ણ રીતે પૂરવામાં આવ્યા. એ દોહદોનું પૂરું વવામાં આવ્યું, એ દોહદોનું જરાપણ અપમાન થવા દેવામાં ન આવ્યું. એ રીતે તેનું પૂર્ણ વાંછિત સિદ્ધ થવાથી દોહદો શમી ગયા છે. અને હવે દોહદ થતા અટકી ગયા છે એવી તે સુખે સુખે ટેકો ४४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002159
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherJashwantbhai N Shah Ahmedabad
Publication Year2006
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, Paryushan, & agam_kalpsutra
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy